29.2 C
Gujarat
June 21, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કાળીયાબીડ, પાવઠી અને જામકંડોરણા ખાતે અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૯ જુલાઈ ૨૦૨૫: ગત દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં અકુદરતી રીતે લોકોનાં મોત નિપજયા છે. બે દિવસ પહેલા ભાવનગરમાં કાળીયાબીડ વિસ્તારમાં એક બેકાબૂ કારે ટક્કર મારતાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.  બીજી એક હ્રદયદ્રાવક ઘટનામાં તળાજા તાલુકાના પાવઠી ખાતે કારમાં ગૂંગળામણ થતાં બે માસુમ બાળકોનાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે.  જે તેમનાં બેંકના ખાતામાં જમા કરાવી દેવામાં આવી છે. ત્રીજી ઘટનામાં જામકંડોરણા નજીક પાદરિયા ગામે તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોનાં મોત થયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. અતુલ ઓટોના શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આ વિતિય સેવા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે

Related posts

વાસદમાં રચાયો વર્લ્ડ રેકોર્ડ : પાંચ હજાર લોકોએ માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રે કરી અનોખી પહેલ

amdavadlive_editor

iOS ડિવાઇસીસ પર ફિશીંગ હૂમલાઓનું મોટુ જોખમ: લૂકઆઉટ

amdavadlive_editor

સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ સાથે ગેલેક્સી F16 5G લોન્ચ કરાયા

amdavadlive_editor

Leave a Comment