32.9 C
Gujarat
May 3, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પોરબંદર નજીક થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરી સહાય મોકલતા મોરારિબાપુ

ગુજરાત | ૦૭ એપ્રિલ ૨૦૨૬ — ગઈકાલે તા. 06/04/2026 ના પોરબંદર ના એરપોર્ટ નજીક બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર આશાસ્પદ યુવાનોના કરુણ મૃત્યુ નિપજયા હતાં . આ સમાચાર પેપરમાં વાંચ્યા બાદ પૂજ્ય મોરારીબાપુએ ચારે મૃતક યુવાનો પ્રતિ એમની સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકને રૂપિયા 15,000 લેખે કુલ 60 હજાર રૂપિયાની હનુમંત સંવેદના સહાયતા રાશિ પ્રેષિત કરેલ છે. પોરબંદર સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આજે રૂબરૂ જઈને ચારેય મૃતક યુવાનોના પરિજનોને આ સંવેદના રાશિ પહોંચતી કરવામાં આવી રહી છે. ચારેય મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજી ના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેના પરિજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

એરો એસ્પ્રિંગ-સમર 25 કલેક્શન રજૂ કર્યું: સ્માર્ટ, સ્ટાઇલિશ અને આરામદાયક

amdavadlive_editor

સકરા વર્લ્ડ હોસ્પિટલએ બેંગલુરુમાં 500 બેડની અત્યાધુનિક હોસ્પિટલ ડિઝાઇન અને નિર્માણ માટે ટેન્ડમ હેલ્થકેરની નિમણૂક કરી

amdavadlive_editor

કૃષ્ણ જેવો પૂર્ણ સાધુ કોઈ નથી: મોરારી બાપુ

amdavadlive_editor

Leave a Comment