30.3 C
Gujarat
September 20, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પોરબંદર નજીક થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરી સહાય મોકલતા મોરારિબાપુ

ગુજરાત | ૦૭ એપ્રિલ ૨૦૨૬ — ગઈકાલે તા. 06/04/2026 ના પોરબંદર ના એરપોર્ટ નજીક બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર આશાસ્પદ યુવાનોના કરુણ મૃત્યુ નિપજયા હતાં . આ સમાચાર પેપરમાં વાંચ્યા બાદ પૂજ્ય મોરારીબાપુએ ચારે મૃતક યુવાનો પ્રતિ એમની સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકને રૂપિયા 15,000 લેખે કુલ 60 હજાર રૂપિયાની હનુમંત સંવેદના સહાયતા રાશિ પ્રેષિત કરેલ છે. પોરબંદર સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આજે રૂબરૂ જઈને ચારેય મૃતક યુવાનોના પરિજનોને આ સંવેદના રાશિ પહોંચતી કરવામાં આવી રહી છે. ચારેય મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજી ના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેના પરિજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

સ્ટ્રાઇક ટૂ: ગ્લોબલ ચેસ લીગ 2026માં 42 બૉબર રજૂ કરીને જાવા ઑલ સ્ટારે વધુ એક મોટી ચાલ ખેલી

amdavadlive_editor

અથક ભારત: ગ્રામીણ સશક્તિકરણ પહેલ EDII અને ONGC તરફથી, સતત વિકાસ માટે ગ્રામીણ ભારતને સશક્ત બનાવવું

amdavadlive_editor

ભારતના 57% જિલ્લાઓ—જ્યાં દેશની લગભગ ત્રણ-ચતુર્થાંશ વસ્તી રહે છે—હવે ઉચ્ચ થી ખૂબ જ ઉચ્ચ ગરમીના જોખમનો સામનો કરી રહ્યા છે: CEEW

amdavadlive_editor

Leave a Comment