33.5 C
Gujarat
June 20, 2026
Amdavad Live
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

જૈન લોટસ ગ્રુપ પરિવારનું દિવાળી ગેટ ટુ ગેધર સરગમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયું

ગુજરાત, અમદાવાદ | ૧૭મી નવેમ્બર ૨૦૨૫ — જૈન લોટસ ગ્રુપ પરિવાર દ્વારા સરગમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય ‘દિવાળી ગેટ-ટુ-ગેધર’ અને સ્નેહમિલનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળી પર્વ બાદ સભ્યો એકબીજાને મળીને નૂતન વર્ષના અભિનંદન પાઠવે અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભાવતા ભોજનનો આનંદ માણે તે મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ સંમેલનનું વિશેષ આકર્ષણ સ્વામીનારાયણ સંપ્રદાયના જાણીતા ધર્મ ધુરંદર, ડોક્ટર શ્રી જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રેરક પ્રવચન રહ્યું હતું. તેમણે ‘સમાજના મૂલ્યો અને સિદ્ધાંતો’ વિષય પર સવિસ્તાર પ્રવચન આપ્યું હતું, જેનો સંસ્થાના સભ્ય મિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી રાકેશભાઈ આર શાહ GSEC લિમિટેડ તથા જૈન કલ્ચરલ ગ્રુપના ચેરમેન. શ્રી નરહરિભાઇ અમીન (રાજ્ય સભાના સભ્ય શ્રી ), ડોક્ટર શ્રી કુમારપાળ દેસાઈ (પદ્મશ્રી), શ્રી ચેતનભાઇ શાહ (કર્ણાવતી ક્લબના પ્રમુખ )વિશેષ હાજરી આપી હતી. ખૂબ જ ઊષ્મા ભર્યા વાતાવરણમાં પ્રસંગ યોજાયો હતો.

Related posts

સેમસંગ દ્વારા અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી બીસ્પોક એઆઈ હોમ એપ્લાયન્સીસ પર રિપબ્લિક ડે ડીલ્સ, કેશબેક અને રિવોર્ડસ સાથે બિગ બીસ્પોક એઆઈ ફેસ્ટ શરૂ

amdavadlive_editor

એમેઝોન ફેશને આ વર્ષે અક્ષય તૃતીયા પર દરેક પ્રસંગ માટે એઆઈની મદદથી જ્વેલરીની પસંદગી કરવાની સુવિધા રજૂ કરી

amdavadlive_editor

Amazon.inના ‘વિન્ટર વેલનેસ સ્ટોર’ પર ઉપલબ્ધ સીઝનની આવશ્યક ચીજવસ્તુઓ ખરીદીને આ વર્ષે શિયાળામાં પોતાની તંદુરસ્તી જાળવો

amdavadlive_editor

Leave a Comment