32.1 C
Gujarat
June 9, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ: નવસારીના મેયર અને ડેપ્યુટી મેયરના નિવાસસ્થાને મહિલા ટેક્નિશિયનો દ્વારા સ્માર્ટ મીટર સ્થાપન

નવસારી, ગુજરાત | ૦૪ જૂન, ૨૦૨૬ | દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં સ્માર્ટ મીટર સ્થાપન અભિયાનને વેગ મળી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત આજે નવસારીના મેયર અશોકભાઈ ધોરજિયા તથા ડેપ્યુટી મેયર કીયુરીબેન દેસાઈના નિવાસસ્થાને સફળતાપૂર્વક સ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં આવ્યા.

આ પ્રસંગની વિશેષતા એ રહી કે સ્માર્ટ મીટર સ્થાપનનું કાર્ય મહિલા ટેક્નિશિયન ધ્રુવી પટેલ અને રોશની પટેલ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. બંને મહિલા ટેક્નિશિયનોએ પોતાની તકનીકી કુશળતા અને કાર્યદક્ષતાનો ઉત્તમ પરિચય આપતાં કામગીરીને સુચારુ રીતે સંપન્ન કરી, જે મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.

મેયર અશોકભાઈ ધોરજિયાએ બંને મહિલા ટેક્નિશિયનના કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આજની મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા અને ક્ષમતાનું પ્રદર્શન કરી રહી છે. ટેક્નિકલ ક્ષેત્રમાં તેમની વધતી ભાગીદારી સમાજ માટે સકારાત્મક સંદેશ આપે છે. તેમણે વધુમાં જણાવ્યું કે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતી આવી પહેલો સમયની જરૂરિયાત છે.

ડેપ્યુટી મેયર કીયુરીબેન દેસાઈએ પણ બંને મહિલા ટેક્નિશિયનના કાર્યને બિરદાવતાં સ્માર્ટ મીટરના ફાયદાઓ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સ્માર્ટ મીટર દ્વારા ગ્રાહકોને પોતાના વીજ વપરાશ અંગે વધુ પારદર્શક અને રિયલ-ટાઈમ માહિતી પ્રાપ્ત થાય છે. સ્માર્ટ મીટર એપ્લિકેશન મારફતે દૈનિક વીજ વપરાશની દેખરેખ, રિયલ-ટાઈમ ઉપયોગની માહિતી સહિત અનેક ઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેના કારણે ગ્રાહકો પોતાના વીજ વપરાશને વધુ સારી રીતે સમજી અને નિયંત્રિત કરી શકે છે.

સ્માર્ટ મીટર પ્રોજેક્ટ વીજ સેવાઓને વધુ આધુનિક, પારદર્શક અને ગ્રાહકમૈત્રી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. સાથે જ મહિલા ટેક્નિશિયનોની સક્રિય ભાગીદારી આ અભિયાનને નવી ઓળખ અને પ્રેરણાદાયી દિશા આપી રહી છે.

== સમાપ્ત ==

Related posts

કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

amdavadlive_editor

સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025 દ્વારા રાષ્ટ્ર્રીય મંચ પર ગ્રામીણ અને ટિયર 2/3ના વિચારો લાવવા માટે ગ્રાન્ડ ફિનાલે માટે 20 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર

amdavadlive_editor

બીએનઆઈ બરોડા 26 અને 27 એપ્રિલના રોજ કોલોઝિયમ 2025નું આયોજન કરશે

amdavadlive_editor

Leave a Comment