34 C
Gujarat
March 13, 2026
Amdavad Live
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

જૈન લોટસ ગ્રુપ પરિવારનું દિવાળી ગેટ ટુ ગેધર સરગમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયું

ગુજરાત, અમદાવાદ | ૧૭મી નવેમ્બર ૨૦૨૫ — જૈન લોટસ ગ્રુપ પરિવાર દ્વારા સરગમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય ‘દિવાળી ગેટ-ટુ-ગેધર’ અને સ્નેહમિલનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળી પર્વ બાદ સભ્યો એકબીજાને મળીને નૂતન વર્ષના અભિનંદન પાઠવે અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભાવતા ભોજનનો આનંદ માણે તે મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ સંમેલનનું વિશેષ આકર્ષણ સ્વામીનારાયણ સંપ્રદાયના જાણીતા ધર્મ ધુરંદર, ડોક્ટર શ્રી જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રેરક પ્રવચન રહ્યું હતું. તેમણે ‘સમાજના મૂલ્યો અને સિદ્ધાંતો’ વિષય પર સવિસ્તાર પ્રવચન આપ્યું હતું, જેનો સંસ્થાના સભ્ય મિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી રાકેશભાઈ આર શાહ GSEC લિમિટેડ તથા જૈન કલ્ચરલ ગ્રુપના ચેરમેન. શ્રી નરહરિભાઇ અમીન (રાજ્ય સભાના સભ્ય શ્રી ), ડોક્ટર શ્રી કુમારપાળ દેસાઈ (પદ્મશ્રી), શ્રી ચેતનભાઇ શાહ (કર્ણાવતી ક્લબના પ્રમુખ )વિશેષ હાજરી આપી હતી. ખૂબ જ ઊષ્મા ભર્યા વાતાવરણમાં પ્રસંગ યોજાયો હતો.

Related posts

રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

amdavadlive_editor

LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાને સતત બીજા વર્ષ માટે ‘ગ્રેટ પ્લેસ ટૂ વર્ક’ તરીકે સન્માન મળ્યું

amdavadlive_editor

સ્ટેનલી લાઇફસ્ટાઇલે અમદાવાદમાં ફ્લેગશીપ સ્ટોર લોંચ કર્યો

amdavadlive_editor

Leave a Comment