30.3 C
Gujarat
June 14, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હાથરસ ખાતે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

ગઈકાલે ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે યોજાયેલા સત્સંગના કાર્યક્રમમાં ભાગ દોડ થવાથી પ્રાપ્ત માહિતી મુજબ ૧૨૪ લોકોનાં કરુણ મોત નિપજયા છે. છેલ્લા કેટલાક સમયમાં ન ઘટી હોય તેવી આ કરુણાંતિકામાં અનેક લોકોનાં દુઃખદ મૃત્યુ નિપજયાં છે.  પૂજ્ય મોરારીબાપુને આ ઘટના વિશે માહિતી મળતા તેમણે મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનો તરફ દિલસોજી વ્યક્ત કરી છે અને તમામ હતભાગી લોકોના પરિવારજનોને રુપિયા ૧૧,૦૦,૦૦૦ (અગીયાર લાખની) સંવેદના રાશિ અર્પણ કરી છે. ઉત્તર પ્રદેશ સરકારના સંબંધિત વિભાગ પાસેથી મૃતકોની યાદી મેળવી તેમના સ્વજનોને સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. આ સેવા લખનૌ સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા સંપૂર્ણ કરવામાં આવશે.

Related posts

કોક ઝીરો અને સ્વીગ્ગી ઇન્સ્ટામાર્ટ ટાઇગર શ્રોફ સાથે ત્વરીત તાજગી પૂરી કરે છે

amdavadlive_editor

વડલો માતૃરૂપા,પીપળ વિષ્ણુનું, લિમડો સૂર્યનું, બિલી મહાદેવનું અને ચંદન ગણેશનું વૃક્ષ છે.

amdavadlive_editor

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ K9 ઉત્સાહીઓ માટે ફાઉન્ડેશન K9 ઓબેડીયન્સ અને પ્રોટેક્શન પર તેનો પ્રથમ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો.

amdavadlive_editor

Leave a Comment