May 3, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ચિત્રકૂટધામ ખાતે મોરારિબાપુ દ્વારા સંતવાણીના આરાધકોને એવોર્ડ અપાશે

અમદાવાદ 15 નવેમ્બર 2024: પૂજ્ય મોરારીબાપુના પિતાજી પૂજ્ય શ્રી પ્રભુદાસબાપુની તિથીએતલગાજરડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પ્રતિવર્ષ પૂજ્ય મોરારિબાપુ દ્વારા સંતવાણીના આરાધકોની વંદના પણ કરવામાં આવે છે. તા.૧૭/૧૧ ને સવારે ૯ વાગ્યે શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ગામની ૬ દીકરીઓના સમુહલગ્ન યોજવામાં આવશે. તે દિવસોમાં શ્રી ચિત્રકૂટધામ દ્વારા મહુવા હવેલીમાં શ્રી ઠાકોરજીનો બડો મનોરથ યોજાશે. એ પ્રમાણે પૂજ્ય પ્રભુદાસબાપુના પુણ્ય સ્મરણમાં મોરારિબાપુની પ્રેરણા અને આશિષથી ગુજરાતના સંતવાણીના ભજનિકો અને વાદ્યકારોને આગામી તા.૧૭/૧૧/૨૪ ની રાત્રીએ ૮ કલાકે શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડામાં પૂજ્ય બાપુના શુદ્ધ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં: (૧) સંતવાણી સર્જકનીવંદના હેઠળ ભક્ત કવિશ્રી ધીરા ભગત(ગઢડા) જેમના પ્રતિનિધિ: શ્રી. નારાયણભાઈ રબારીને એનાયત કરવામાં આવશે.(૨) શ્રી રામદાસજીગોડલીયા(જુનાગઢ,) ભજનિક (૩) શ્રી ચંદુભાઈડાભી,(જુનાગઢ,) વાદ્ય સંગત-બેન્જો (૪) શ્રી ભૂપતપેંટર(રાજકોટ,) વાદ્ય સંગત તબલાં (૫) શ્રી વિજયકુમાર ગોસાઈ (જુનાગઢ,) વાદ્ય સંગત, મંજીરાં. આ કાર્યક્રમમાં અનેક જાણીતા ભજનિકો, વાદ્યકારો અને ભજન પ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પૂજ્ય બાપુના ઉદ્બોધન બાદ સંતવાણી યોજાશે.

Related posts

અવંતોર એપેક્સ ઇન્ડિયા કોન્ફરન્સ 2024 માં સલામતી શ્રેષ્ઠતા માટે બે ગોલ્ડ એવોર્ડ્સ મેળવ્યા

amdavadlive_editor

ફ્લેર બેવરેજિસે અમદાવાદમાં ડેરઓન એનર્જી ડ્રિંક લોંચ કર્યું

amdavadlive_editor

જીઈ એરોસ્પેસનું પુણેનું ઉત્પાદન એકમ 10 વર્ષની કામગીરીની ઉજવણી કરે છે

amdavadlive_editor

Leave a Comment