33.2 C
Gujarat
September 20, 2024
Amdavad Live
આરોગ્યગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ડોડામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી દેશનાં વિવિધ રાજ્યોમાં સહાય પાઠવતા મોરારીબાપુ

ગુજરાત, અમદાવાદ 17 જુલાઈ 2024: ઉગ્રવાદીઓ દ્વારા આજકાલમાં જમ્મુ વિસ્તારને ટાર્ગેટ બનાવી ભારતીય સુરક્ષાદળો પર હુમલાઓ કરવામાં આવે છે. ગઈકાલે એક વધુ ઘટનામાં કેપ્ટન સહીત પાંચ જવાનો શહીદ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ જવાનોની શહીદીને પ્રણામ કર્યા છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પચ્ચીસ હજાર લેખે રુપિયા ૧,૨૫,૦૦૦ નું તુલસીદલ સમર્પિત કર્યું છે. આર્મી વિભાગ પાસેથી વિગતો મેળવીને રકમ મોકલી આપવામાં આવશે.

દેશમાં આ વખતે ચોમાસું તોફાની બની રહ્યું હોય તેમ કેટલાય રાજ્યોમાં વિજળી પડવાથી અનેક લોકોનાં મોત નિપજયા છે. બિહારમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૨૧ લોકોનાં તેમજ યુપીમાં ૩૨ લોકોનાં કરુણ મોત નિપજયા છે. વરસાદી આફતને કારણે માર્યા ગયેલાઓને મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭,૯૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.  પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

મીડનાઇટ સન-ની ભૂમિ નોર્વે પર ક્ષમાયાત્રાનું સાતમું ડગલું માંડતા મોરારિબાપુ.

amdavadlive_editor

મેરિકો ઈનોવેશન ફાઉન્ડેશન દ્વારા ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડસની 10મી આવૃત્તિ માટે અરજીઓ મગાવે છે

amdavadlive_editor

એકો ડ્રાઈવનો કાર ખરીદદારોને એક છત હેઠળ સમાધાન પ્રદાન કરવા અમદાવાદમાં પ્રવેશ

amdavadlive_editor

Leave a Comment