31.5 C
Gujarat
June 18, 2026
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કડી નજીક ભેખડ ધસી પડતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

પ્રાપ્ત વિગતો અનુસાર ઉતર ગુજરાતના કડી નજીક એક ગમખ્વાર અકસ્માતમાં પ્રાઈવેટ કંપનીની દિવાલ ખોદી રહેલા ૯ મજૂરોનું અચાનક ભેખડ ધસી પડતાં કરુણ મોત થયું હતું. કડીના જાસલપુર ગામે આ દુર્ધટનામાં બનવા પામી છે અને તેમાં તાજેતરની વિગતો અનુસાર ૯ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. કલોલ સ્થિત રામકથાના શ્રોતા શ્રી નવીનભાઈ અને તેમની ટીમ દ્વારા સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે.

Related posts

“અખંડ સનાતન જન જાગૃતિ યાત્રા” અંતર્ગત બિંદુ સરોવરથી પવિત્ર જળ ગ્રહણ; માં અંબાજી દર્શન યાત્રાનો દિવ્ય પ્રારંભ

amdavadlive_editor

પુરુષાર્થ માત્ર છોડી દો! માત્ર શરણમાં રહો

amdavadlive_editor

લીપફ્રોગ એન્જિનિયરિંગ ₹88.51 કરોડના SME IPO સાથે બજારમાં પ્રવેશ કરશે; સબ્સ્ક્રિપ્શન 17 જૂનથી ખુલશે

amdavadlive_editor

Leave a Comment