40.8 C
Gujarat
June 20, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હનુમાન જયંતિની પૂર્વસંધ્યાએ આર્કવે બાય અદાણી ના રહેવાસીઓએ સુંદરકાંડ પાઠનું આયોજન કર્યું

અમદાવાદ, ગુજરાત | ૦૨ એપ્રિલ ૨૦૨૬ જગતપુરમાં આવેલ રહેણાંક સોસાયટી, આર્કવે બાય અદાણી રિયલ્ટીના રહેવાસીઓ બુધવારે હનુમાન જયંતિની શુભ પૂર્વ સંધ્યાએ ભક્તિ અને એકતાની ભાવના સાથે સુંદરકાંડ પાઠનું આયોજન કરવા માટે ભેગા થયા.

સોસાયટીના બગીચામાં યોજાયેલા આ પાઠમાં રહેવાસીઓ અને મહેમાનોનો ઉત્સાહભેર સહભાગ રહ્યો. સૌએ મળીને પ્રાર્થના અને પાઠમાં જોડાઈ શાંતિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ચિંતનથી ભરેલ માહોલ સર્જ્યો. પરંપરાગત વેશભૂષામાં સજ્જ ભાગલેનારોએ સુન્દરકાંડના પવિત્ર શ્લોકોમાં પોતાને લીન કરી, ભગવાન હનુમાનના આશીર્વાદ મેળવ્યા.

આ કાર્યક્રમનો ઉદ્દેશ સમુદાયમાં એકતા વધારવાનો તેમજ સામૂહિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને ઉજવવાનો હતો. શાંત વાતાવરણ અને પાઠના લયબદ્ધ પાઠન સાથે મળીને રહેવાસીઓને દૈનિક જીવનની વ્યસ્તતા વચ્ચે થોડો વિરામ મેળવવાની અને આંતરિક શાંતિ સાથે ફરી જોડાવાની સુંદર તક મળી.

મધ્યરાત્રિની આસપાસ પાઠની સમાપ્તિ પછી, રહેવાસીઓએ હળવા નાસ્તાનો આનંદ માણ્યો, જેમાં પીણાં અને લાઇવ મિક્સ ભજીયાનો સમાવેશ હતો. આ પહેલ ફક્ત રહેણાંક જગ્યા જ નહીં, પરંતુ ઉત્સાહી અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ રહેવાના વાતાવરણને પોષવા માટે આર્કવે પરિવારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

Related posts

હરિદ્વાર, દેવધર અને અન્યત્ર અકાળે અવસાન પામેલા તરફ મોરારીબાપુની સંવેદના અને પરિવારજનોને સહાય

amdavadlive_editor

શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી જન્મોત્સવનો પ્રારંભ

amdavadlive_editor

સેમસંગ ગેલેક્સી Z Fold6, Z Flip6, વોચ અલ્ટ્રા, વોચ 7 અને બડ્સ 3 આકર્ષક ઓફરો સાથે વેચાણમાં

amdavadlive_editor

Leave a Comment