May 3, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હનુમાન જયંતિની પૂર્વસંધ્યાએ આર્કવે બાય અદાણી ના રહેવાસીઓએ સુંદરકાંડ પાઠનું આયોજન કર્યું

અમદાવાદ, ગુજરાત | ૦૨ એપ્રિલ ૨૦૨૬ જગતપુરમાં આવેલ રહેણાંક સોસાયટી, આર્કવે બાય અદાણી રિયલ્ટીના રહેવાસીઓ બુધવારે હનુમાન જયંતિની શુભ પૂર્વ સંધ્યાએ ભક્તિ અને એકતાની ભાવના સાથે સુંદરકાંડ પાઠનું આયોજન કરવા માટે ભેગા થયા.

સોસાયટીના બગીચામાં યોજાયેલા આ પાઠમાં રહેવાસીઓ અને મહેમાનોનો ઉત્સાહભેર સહભાગ રહ્યો. સૌએ મળીને પ્રાર્થના અને પાઠમાં જોડાઈ શાંતિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ચિંતનથી ભરેલ માહોલ સર્જ્યો. પરંપરાગત વેશભૂષામાં સજ્જ ભાગલેનારોએ સુન્દરકાંડના પવિત્ર શ્લોકોમાં પોતાને લીન કરી, ભગવાન હનુમાનના આશીર્વાદ મેળવ્યા.

આ કાર્યક્રમનો ઉદ્દેશ સમુદાયમાં એકતા વધારવાનો તેમજ સામૂહિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને ઉજવવાનો હતો. શાંત વાતાવરણ અને પાઠના લયબદ્ધ પાઠન સાથે મળીને રહેવાસીઓને દૈનિક જીવનની વ્યસ્તતા વચ્ચે થોડો વિરામ મેળવવાની અને આંતરિક શાંતિ સાથે ફરી જોડાવાની સુંદર તક મળી.

મધ્યરાત્રિની આસપાસ પાઠની સમાપ્તિ પછી, રહેવાસીઓએ હળવા નાસ્તાનો આનંદ માણ્યો, જેમાં પીણાં અને લાઇવ મિક્સ ભજીયાનો સમાવેશ હતો. આ પહેલ ફક્ત રહેણાંક જગ્યા જ નહીં, પરંતુ ઉત્સાહી અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ રહેવાના વાતાવરણને પોષવા માટે આર્કવે પરિવારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

Related posts

ઓલ ઠંડર, નો શુગર સાથે થમ્સ અપ એક્સફોર્સનું ઝેપ્ટોના પ્રથમ પ્રી-બુકિંગ એક્સક્લુઝિવ પર પદાર્પણ

amdavadlive_editor

બિયોન્ડ નંબર્સ: ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબ સ્પોર્ટ્સ દ્વારા કેવી રીતે વર્ક-લાઇફ બેલેન્સને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યું છે

amdavadlive_editor

ઇલેક્ટ્રોનિકા ઇન્ડિયા અને પ્રોડક્ટ્રોનિકા ઇન્ડિયાએ ભારત ઇલેક્ટ્રોનિક્સ યાત્રા શરૂ કરી

amdavadlive_editor

Leave a Comment