31.5 C
Gujarat
June 18, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગોપનાથ મહાદેવ ખાતે શરદ પૂનમની ઢળતી સાંજે કવિ હર્ષ બ્રહ્મભટ્ટને નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ થયો

પૂ.મોરારીબાપુ દ્વારા નરસિંહ મહેતા સન્માન થકી રુ.1,51,000 ની ધનરાશિ સાથે કવિના કવિકર્મની ભાવવાહી વંદના કરવામાં આવી

પૂ.મોરારીબાપુ દ્વારા પ્રતિ વર્ષ ગુજરાતી કવિતા ક્ષેત્રનો પ્રતિષ્ઠિત ગણાતો આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ આજે ગોપનાથ ખાતે રામકથાના મંડપ મધ્યે કવિ હર્ષ બ્રહ્મભટ્ટને એનાયત થયો હતો. અવોર્ડ માં નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા, શાલ, સન્માનપત્ર, રૂપિયા એક લાખ ને એકાવન હજારની પુરસ્કૃત રાશીનો સમાવેશ થાય છે.

આજની ઘડી તે રળિયામણી   ના પ્રેરક પ્રસંગે સ્વરકાર ,ગાયક હરિશ્ચંદ્ર જોશી એ હર્ષ બ્રહ્મભટ્ટની અને ગોપનાથને સંલગ્ન નરસિંહ મહેતાની કાવ્ય રચના ગાઈ હતી. ભાવનગર સ્થિત કવિ વિનોદ જોશીએ પુરસ્કૃત કવિના કવિ અને કાવ્ય કર્મ સુપેરે રજૂ કર્યું જ્યારે આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટના પ્રમુખ રઘુવીર ચૌધરીએ પ્રાસંગિક વાત કરી હતી.

આ કવિતામય સાંજે ભાવનગરના કલાવૃંદ જી રે વ્હાલા આજની ઘડી તે રળિયામણી ના સંગીતિક રાસ રજૂ થતાં સમગ્ર કથા મંડપમાં ઉલ્લાસ પ્રસર્યો હતો. બાદમાં પુરસ્કૃત કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટે પિતાની કેફિયત સાથે પોતાના કાવ્યોનો કાવ્ય પાઠ કર્યો હતો.

એવોર્ડના પ્રેરક પૂ.મોરારીબાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ વેળાએ  ગુજરાત ભરના કવિઓ, સાહિત્ય પ્રેમીઓ, વિદ્વવદજનો ની હાજરી રહી હતી.

કાર્યક્રમનું ભાવવાહી સંચાલન અમરેલીના કવિ પ્રણવ પંડ્યાએ બખૂબી નિભાવ્યું હતું.

Related posts

Amazon.inએ સમગ્ર ભારતમાં K-12 પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે NCERT સાથે ભાગીદારી કરી

amdavadlive_editor

રીન્યુએ દસ લાખ ધાબળાનું વિતરણ કરીને ગિફ્ટ વાર્મથ કેમ્પેઈનનું ઐતિહાસિક 10મું સંસ્કરણ પૂરું કર્યું

amdavadlive_editor

EDII માં ‘મરીન એગ્રી-એન્ટ્રપ્રિન્યોરશિપ એન્ડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ’પર વૈશ્વિક કાર્યક્રમ શુરુ

amdavadlive_editor

Leave a Comment