31.5 C
Gujarat
June 18, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વલસાડ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનેમોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

ગુજરાત, અમદાવાદ | ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬: વલસાડ નજીક કપરાડા તાલુકાના કુંભઘાટ પર એક કરુણ અકસ્માત સર્જાયો હતો જેમાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને તે ઘટનામાં મળતી માહિતી મુજબ ૭ લોકોનાં મોત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓનેશ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે નવસારી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે.

અકસ્માતની બીજી ઘટના મહેસાણા જિલ્લાના ઉંઝા હાઈવે પર બની છે જેમાં રાજસ્થાનનો પરિવાર વિંખાઈ ગયો હતો જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજયા છે. તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી પૂજ્ય મોરારીબાપુએરુપિયા ૧૫,૦૦૦ લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે.

ત્રીજી ઘટનામાં કોડીનાર પંથકમાં આદપોકર ગામે કૂંડમાં ડૂબી જતાં માતા અને તેમના બે સંતાનોનાં મોત નિપજયા છે. તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી પૂજ્ય મોરારીબાપુએરુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂ બાપુએ પ્રાર્થના કરી છે.

Related posts

મારો મારગ વિશ્વાસનો છે. મેં જે કાંઈ મેળવ્યું છે એ વિશ્વાસથી જ મેળવ્યું છે – પૂજ્ય બાપુ

amdavadlive_editor

સેમસંગએ સ્માર્ટ ટીવી અને સ્માર્ટ મોનીટર્સ માટે સેમસંગ એજ્યુકેશન હબ ઍપમાં EMBIBEના AI-થી સજ્જ લર્નીંગ પ્લેટફોર્મને સમાવ્યુ

amdavadlive_editor

મેજેન્ટા મોબિલિટીએ ટાટા મોટર્સ સાથેના સહયોગને વધુ મજબૂત કર્યો ટાટા એસ ઇવીના 100થી વધુયુનિટ્સ તૈનાત કર્યાં – ભારતના સૌથી અદ્યતન, ઝિરો-ઉત્સર્જન સ્મોલ કમર્શિયલ વ્હીકલ

amdavadlive_editor

Leave a Comment