40.9 C
Gujarat
May 3, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગંભીરા પૂલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૦ જુલાઈ ૨૦૨૫ — તારીખ ૯/૭/૨૫ ની વહેલી સવારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગંભીરા ગામ પાસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો પુલ તૂટી પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મહી નદી પર આવેલ આ પૂલ અચાનકજ તૂટી પડતાં તયાંથી પસાર થઈ રહેલા લોકો અને વાહનો નદીમાં ગરકાવ થઈ ગયા હતા. નદીમાં પાણી તથા કાદવ હોવાને કારણે આ લખાયું છે તે દરમિયાન મળતી માહિતી મુજબ ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે. આ દુર્ઘટનામાં માર્યાગયેલાઓને પૂજ્ય મોરારીબાપુએશ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫, ૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. વડોદરા સ્થિત રામકથાના શ્રોતા શ્રી રાજુભાઇ દોશી દ્વારા આ વિતિય સેવા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ કરુણ ઘટનામાં માર્યાગયેલાઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

ટેસ્ટ ધ 4D : લોટ્ટેએ ભારતનો પ્રથમ 4-લેયરવાળો આઈસ્ક્રીમ બાર ક્રન્ચ લોન્ચ કર્યો

amdavadlive_editor

સ્માર્ટ મીટરના સાથે ચેક મીટર લગાવો, તમામ શંકાઓનું સમાધાન મેળવો

amdavadlive_editor

રોટરી કલબ ઓફ અમદાવાદ સ્કાઇલાઇનનું ‘સ્કાઇલાઇન છાસ’ સેવા પ્રોજેક્ટ પૂર્ણ

amdavadlive_editor

Leave a Comment