July 6, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રાજસ્થાન હાઈવે પર બસ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

અમદાવાદ, ગુજરાત | ૦૨ જુલાઈ ૨૦૨૬ | પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલાં હરિદ્વારથી ઈન્દોર જતી બસનો રાજસ્થાન હાઈવે પર અકસ્માત થયો હતો અને તેમાં ૮ લોકોનાં મોત નિપજયા છે. દૌસા નજીક હાઇવે પર રાત્રીનાં ૨.૩૦ વાગ્યે ઈન્દોર જતી બસ આગળ જતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં જોતજોતામાં બસમાં આગ લાગી હતી અને તેમાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.

સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે ડીએનએ ટેસ્ટ કરાવી વારસદારોને શબ સોંપવામાં આવશે. પૂજ્ય મોરારિબાપુએ આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસહજારની ) સહાયતા રાશિ અર્પણ કરી છે જે રામકથાના શ્રોતા દ્વારા મધ્યપ્રદેશ સીએમ રિલિફ ફંડમાં જમા કરાવવામાં આવશે. પૂજ્ય બાપુએ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

== સમાપ્ત ==

Related posts

ISHRAE અમદાવાદ ચેપ્ટર દ્વારા ફાર્મા કનેક્ટ 2025નું સફળ આયોજન

amdavadlive_editor

શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે ડ્રોઈંગ કોમ્પિટિશનનું સફળ આયોજન

amdavadlive_editor

BNI અમદાવાદ સિમ્પોઝિયમ 2026નું આયોજન કરશે, જેમાં 10,000થી વધુ બિઝનેસ લીડર્સને એક મંચ પર લાવશે

amdavadlive_editor

Leave a Comment