27.3 C
Gujarat
August 21, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રાજસ્થાન હાઈવે પર બસ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

અમદાવાદ, ગુજરાત | ૦૨ જુલાઈ ૨૦૨૬ | પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલાં હરિદ્વારથી ઈન્દોર જતી બસનો રાજસ્થાન હાઈવે પર અકસ્માત થયો હતો અને તેમાં ૮ લોકોનાં મોત નિપજયા છે. દૌસા નજીક હાઇવે પર રાત્રીનાં ૨.૩૦ વાગ્યે ઈન્દોર જતી બસ આગળ જતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં જોતજોતામાં બસમાં આગ લાગી હતી અને તેમાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.

સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે ડીએનએ ટેસ્ટ કરાવી વારસદારોને શબ સોંપવામાં આવશે. પૂજ્ય મોરારિબાપુએ આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસહજારની ) સહાયતા રાશિ અર્પણ કરી છે જે રામકથાના શ્રોતા દ્વારા મધ્યપ્રદેશ સીએમ રિલિફ ફંડમાં જમા કરાવવામાં આવશે. પૂજ્ય બાપુએ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

== સમાપ્ત ==

Related posts

લેમન એ પોતાના લૉન્ચના પ્રથમ પાંચ મહિનામાં જ પાંચ લાખથી વધુ યુઝર્સ હાસિલ કર્યા

amdavadlive_editor

વડોદરાના યુઝરે 2025માં ક્વિક કોમર્સ પર ₹4.97 લાખનો જંગી ખર્ચ કર્યો, ઇલેક્ટ્રોનિક્સમાં વાર્ષિક ધોરણે +347% વૃદ્ધિ: ‘હાઉ વડોદરા ઇન્સ્ટામાર્ટેડ 2025’

amdavadlive_editor

ઓપ્પો ઇન્ડિયાએ યુઝર કેન્દ્રિત ઇનોવેશન, પ્રીમિયમ રિટેઇલ સ્ટોર્સ અને સર્વિસ એક્સેલન્સ દ્વારા ગુજરાતમાં વૃદ્ધિને વેગ આપ્યો

amdavadlive_editor

Leave a Comment