34.7 C
Gujarat
June 22, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

ભોગ બનનાર ૨૧ વ્યક્તિઓના પરિવારને કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય

તલગાજરડા, ગુજરાત | ૨૨ જૂન ૨૦૨૬ | ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ છે.

રાજ્યમાં કે અન્યત્ર બનતી જીવલેણ દુર્ઘટનાઓમાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રી ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત શ્રધ્ધાંજલિ સાથે સંવેદના સહાયતા અર્પણ થતી રહે છે. તાજેતરમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

આ અકસ્માતમાં ગુજરાતમાં વડોદરા પાસે રાજસ્થાનના પ્રવાસીઓ કે જેઓ બાંસવાડાથી સુરત જતી વેળાએ અકસ્માત સર્જાતા ૭ વ્યક્તિઓ અને મહારાષ્ટ્રમાં પંઢરપુર માર્ગ પર તાંદુળપુર પાસે ખટારો કૂવામાં પડતાં તેમાં બેસેલાં રાંજણી ગામની ૧૪ વ્યક્તિઓનાં કરૂણ મરણ થતાં શ્રધ્ધાંજલિ સાથે ભોગ બનનાર ૨૧ વ્યક્તિઓના પરિવારને પ્રત્યેકનેરૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ છે.

અકસ્માતોમાં થતી આ સંવેદના સહાયતા જે તે પરિવારને મુખ્યમંત્રી રાહત ભંડોળ અંતર્ગત રામકથા શ્રોતા ભાવિકોના સૌજન્ય સાથે મોકલાય છે.

Related posts

ગ્લો એન્ડ લવલીએ ‘અપની રોશની બહાર લા’ લોન્ચ કર્યું, જે મહિલાઓને લીડ કરવા, પ્રભાવિત કરવા અને શાઇન કરવા માટે સશક્ત બનાવવાની એક દેશવ્યાપી પહેલ છે.

amdavadlive_editor

તાંબુ અને પિત્તળ: ગુજરાતના ઉદ્યોગસાહસિક વારસાનું ઘડતર

amdavadlive_editor

નિવૃત્તિ આયોજનને વિસ્તારવા પીએનબી મેટલાઈફ અને પોલિસીબાઝાર નવા પેન્શન પ્રીમિયર મલ્ટિકેપ ફંડ માટે ભાગીદારી કરે છે

amdavadlive_editor

Leave a Comment