37.7 C
Gujarat
April 27, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી

અમદાવાદ ૦૧ એપ્રિલ ૨૦૨૫: મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલના ૧૦૭૫માં પ્રાગટ્ય વર્ષે તારીખ ૩૦/૦૩/૨૫ રવિવારના રોજ  ચેટીચંડના પાવન તહેવાર નિમિતે મણિનગર સિંધી માર્કેટથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે મણિનગર માર્કેટ બપોરે ૪ કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન, મણિનગર ક્રોસિંગ, દક્ષિણી સોસાયટી, ગુડલક સોસાયટી, નેતાજી સોસાયટી, જયહિન્દ ચાર રસ્તા, જવાહર ચોક, ભૈરવનાથ, પુષ્પકુંજ થઈ ઝુલેલાલ ઓપનએર થિયેટર ખાતે આશરે 6 કિલોમીટર જેટલા એરિયામાં ફરીને અંદાજે રાત્રે ૧૦ વાગે પૂર્ણ થઇ હતી.

આ શોભાયાત્રામાં કુલ 40 જેટલા ટ્રકો સાથે સહભાગી ૧૩ મંડળો દ્વારા અંદાજે ૧૩ જેટલી ઝાંખીઓ, ૨૭ પ્રસાદીના ટ્રક તથા બહેરાણા સાહેબની જ્યોત સાહેબ, ૧૩ જેટલા ગ્રુપ પુરુષોની છેજ, ૮ જેટલા ગ્રુપ મહિલાઓ ની છેજ તથા અનેક ભાવિભક્તો આ શોભાયાત્રામાં ભાવપૂર્વક જોડાયા હતા. આ શોભાયાત્રામાં અત્યારના કરંટ અફેરને લગતા સામાજિક સંદેશાઓ પણ ફેલાવ્યા હતા.

આ શોભાયાત્રા કાર્યક્રમમાં ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલરો અને અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Related posts

રેડબસનો પરવડે તેવી હોટેલના સેગમેન્ટમાં પ્રવેશ; ભારતના 2000થી વધુ શહેરોમાં ઉપલબ્ધ

amdavadlive_editor

ગુજરાતમાં બસ બુકિંગમાં 79% અપેક્ષિત વૃદ્ધિ સાથે દિવાળીના ધસારાને ધ્યાનમાં રાખીને રેડબસ તૈયાર છે

amdavadlive_editor

CREDAI દ્વારા રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ લીડરશિપ પ્રોગ્રામ શરૂ કરવા IIMA સાથે ભાગીદારી કરી એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા

amdavadlive_editor

Leave a Comment