31.8 C
Gujarat
September 19, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

મણીનગર ચેટીચંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો

અમદાવાદ, ગુજરાત | ૨૦ માર્ચ ૨૦૨૬ — મણીનગર ચેટીચંદ કમિટી અને મમતા ફાઉન્ડેશન દ્વારા ચેટીચંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શોભાયાત્રા તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંધિ સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

20 માર્ચ 2026, શુક્રવારે બપોરે 3 કલાકે મણીનગર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના સભ્યોએ ભાગ લીધો હતો અને પરંપરાગત વેશભૂષા, ભજન-કીર્તન અને સાંસ્કૃતિક ઝલકોથી સમગ્ર વિસ્તાર રંગીન બની ગયો હતો.

22 માર્ચ 2026, રવિવારે સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક નીલ રોકસ્ટાર દ્વારા મ્યુઝિકલ પાર્ટી રજૂ કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત પ્રતિભાશાળી કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ થશે.

આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને મહાનુભાવો હાજરી આપશે તથા સિંધિ સમાજની એકતા અને સંસ્કૃતિને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવશે. આયોજકો દ્વારા સૌને આ કાર્યક્રમમાં હાજરી આપવા અને મહોત્સવને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી છે.

Related posts

લેક્સસ ઇન્ડિયાએ નવી LX 500d માટે બુકિંગનો પ્રારંભ, લક્ઝરી અને શાનદાર પરફોર્મન્સમાં પ્રભુત્વ

amdavadlive_editor

રામકથાશ્રોતાઓ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનાં મંત્ર મૂલ્યો સાથે ચાલતું સેવા કાર્ય

amdavadlive_editor

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ નિમિત્તે ઐતિહાસિક દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન

amdavadlive_editor

Leave a Comment