July 6, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

મણીનગર ચેટીચંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો

અમદાવાદ, ગુજરાત | ૨૦ માર્ચ ૨૦૨૬ — મણીનગર ચેટીચંદ કમિટી અને મમતા ફાઉન્ડેશન દ્વારા ચેટીચંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શોભાયાત્રા તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંધિ સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

20 માર્ચ 2026, શુક્રવારે બપોરે 3 કલાકે મણીનગર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના સભ્યોએ ભાગ લીધો હતો અને પરંપરાગત વેશભૂષા, ભજન-કીર્તન અને સાંસ્કૃતિક ઝલકોથી સમગ્ર વિસ્તાર રંગીન બની ગયો હતો.

22 માર્ચ 2026, રવિવારે સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક નીલ રોકસ્ટાર દ્વારા મ્યુઝિકલ પાર્ટી રજૂ કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત પ્રતિભાશાળી કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ થશે.

આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને મહાનુભાવો હાજરી આપશે તથા સિંધિ સમાજની એકતા અને સંસ્કૃતિને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવશે. આયોજકો દ્વારા સૌને આ કાર્યક્રમમાં હાજરી આપવા અને મહોત્સવને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી છે.

Related posts

અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિકે ૨૪ કલાકમાં ૨૧ બાળકોની ડિલિવરી સાથે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું

amdavadlive_editor

પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રમોદીનાનેતૃત્વહેઠળ, KVIC એ એક નવો રેકોર્ડ બનાવ્યો

amdavadlive_editor

સેમસંગના સર્કલ ટુ સર્ચ સાથેના ગેલેક્સી A55 5G, ગેલેક્સી A35 5G હવે રૂ. 25,999ની કિંમતથી ઉપલબ્ધ છે

amdavadlive_editor

Leave a Comment