27.8 C
Gujarat
August 5, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. – શ્રી મોરારિબાપુ

ગોપનાથમાંરામકથા લાભ લેતાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને ભાવિક શ્રોતાઓ

ગોહિલવાડના તીર્થસ્થાન ગોપનાથમાંરામકથા ગાન કરતાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. ગોપનાથમાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને ભાવિક શ્રોતાઓ લાભ લઈ રહ્યાં છે.

સમુદ્રકિનારે જ્યાં નરસૈયાને હરિ અને હર મળ્યાં તે ગોહિલવાડના તીર્થસ્થાન ગોપનાથમાં શ્રી મોરારિબાપુનાવ્યાસાસને ચાલતી રામકથા’માનસ ગોપનાથ’ પ્રસંગે દિવ્ય વાતાવરણ રહ્યું છે. અહીંયા ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને ભાવિક શ્રોતાઓ લાભ લઈ રહ્યાં છે.

રામકથાનાચોથા દિવસે શ્રી મોરારિબાપુએ સનાતન શાસ્ત્ર આધારિત શ્રોતા અને વક્તાના લક્ષણો કે તેની આચારસંહિતા વર્ણવી.

વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે, તેમ જણાવી ઠાકોરજીનીલીલાનું શ્રવણ, લીલાનું દર્શન, લીલામાં પ્રવેશ અને છેવટે લીલામાં લય થાય તે ગુણાતીત શ્રોતા હોવાનું સમજાવ્યું. શ્રી મોરારિબાપુએ વક્તા માટે પણ આ વાત કરી.

ક્થા પ્રસંગો ઋષિ ભરદ્વાજજી તથા યાજ્ઞવલ્કજી સંવાદ અને શિવજી તથા પાર્વતીજી સંવાદ વર્ણન કરી વનવાસ દરમિયાન સતી દ્વારા રામજીનીપરીક્ષાનો પ્રસંગ વર્ણવતા શ્રી મોરારિબાપુએ આ પ્રસંગમાં મોટા હોય તેને સંદેહ એટલે શંકા હોય અને નાના હોય ભરોસો હોય તેમ ટકોર કરી.

ગોપનાથજગ્યાનામહંતો શ્રી સીતારામબાપુ અને શ્રી આત્માનંદજી સ્વામી, શ્રી રઘુરામબાપા, શ્રી લહેરગિરિબાપુ તેમજ સંતો, મહંતો, કથાકારોની ઉપસ્થિતિ રહી. આજની કથામાં કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેનબાંભણિયા, ધારાસભ્ય શ્રી ગૌતમભાઈચૌહાણ તેમજ અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયાં અને કથા લાભ લીધો.

Related posts

સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) પ્રવેશ પરીક્ષા દ્વારા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજીઓ આમંત્રિત કરે છે: સેટ 2025 અને એસઆઇટીઇઇઇ 2025

amdavadlive_editor

રિચ પ્રેઝન્ટ્સ હોસ્પિટાલિટી હોરાઇઝન એવોર્ડ્સ 2025 – બેકિંગ અને કન્ફેક્શનરીમાં શ્રેષ્ઠનું સન્માન

amdavadlive_editor

નાણાકીય વર્ષ 2024-25 માં ઇન્સોલેશન એનર્જી લિમિટેડ (INA સોલર)નો ચોખ્ખો નફો 127.50% વધ્યો

amdavadlive_editor

Leave a Comment