32.7 C
Gujarat
March 17, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કર્ણાટક, તામિલનાડુ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

।। રામ ।।

ગુજરાત, અમદાવાદ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — કોણ જાણે કેમ પરંતુ દેશના વિવિધ ભાગોમાં અકસ્માતોનો સિલસિલો બંધ નથી થતો. ગત દિવસોમાં કર્ણાટકમાં એક ગમખ્વાર અકસ્માતમાં ૧૦ લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય એક ઘટનામાં તામિલનાડુમાં પણ નવ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે. બંને રાજ્યોમાં કુલ મળીને ૧૯ લોકોનાં દુઃખદ મોત થયાં છે. પૂજ્ય મોરારિબાપુએ જે લોકોનાં મોત નીપજ્યાં છે તેમની તરફ સંવેદના વ્યક્ત કરી છે અને વડાપ્રધાન રાહત કોષમાં રુપિયા ૩ લાખની સહાય અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે.

વલભીપુર નજીકના એક માર્ગ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે તેમનાં પરિવારજનોને સાંત્વના પાઠવી પૂજ્ય બાપુએ રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

====◊◊◊◊◊◊====

Related posts

સુરક્ષિત સવારીનો સંદેશ ફેલાવવો: હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા જામનગર, ગુજરાત પહોંચી

amdavadlive_editor

100મા તાનસેન મ્યુઝિક ફેસ્ટિવલ સાથે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

amdavadlive_editor

ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસએ ભારતીય વિદ્યાર્થીઓમાં વાંચન જુસ્સો પ્રજ્વલિત કરવા માટે ઓક્સફોર્ડ બીગ રિડ ગ્લોબલ ચેલેન્જની 7મી આવૃત્તિ લોન્ચ કરી

amdavadlive_editor

Leave a Comment