36 C
Gujarat
May 31, 2025
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દેવગાણાના શહીદ જવાનને અને સાંઢીડા ખાતે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ગુજરાત, અમદાવાદ 27 મે 2025: પ્રાપ્ત વિગતો અનુસાર શિહોર નજીકના દેવગાણા ખાતે સીઆરપીએફના જવાન શહીદ થયા છે. એમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે પૂજ્ય મોરારીબાપુએ પણ આ જવાનની શહીદીને નમન કર્યા છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ આ જવાનના પરિવારજનોને રુપિયા ૨૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

ભાવનગર અમદાવાદ હાઈવે વારંવાર રક્તરંજિત બનતો જાય છે. તાજેતરમાં ધોલેરા નજીક આવેલા સાંઢીડા ખાતે છેલ્લા ૧૩ દીવસોમાં થયેલા અકસ્માતમાં ૯ લોકોનાં મોત નિપજયા છે. ગઈકાલે આવા એક અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

બિહારની રામકથાના શ્રોતા દ્વારા આ વિતજા સેવા પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

શહેરના જાણીતા એનપીપી સેવા ટ્રસ્ટ દ્વારા જન-જન સુધી ભોજન વિતરણ કરવાનું કાર્ય યથાવત, સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે પણ કાર્ય કરવામાં આવશે

amdavadlive_editor

લાલા પરમાનંદ એન્ડ સન્સે વડોદરા બ્રાન્ચમાં 300+ ફ્રેન્ગ્રેન્સ લોન્ચ કરી, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

amdavadlive_editor

સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડા અને આઈઆઈટી બોમ્બે દ્વારા ડિજિટલ, એઆઈ અને અન્ય ઊભરતી ટેકનોલોજીઓમાં સંશોધનમાં આગેવાની કરવા માટે સમજૂતી કરાર પર સહીસિક્કા કર્યા

amdavadlive_editor

Leave a Comment