34.2 C
Gujarat
August 30, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નેપાળની જળહોનારતમાં દિવંગત થયેલા લોકોને સંવેદના સાથે મોરારી બાપુની રૂપિયા ૫૧ લાખની સહાય

અમદાવાદ, ગુજરાત | ૨૮મી ઓગસ્ટ ૨૦૨૬ | તારીખ ૨૬/૮/૨૬નો દિવસ નેપાળ ક્યારેય પણ ભૂલી નહીં શકે. તિબેટ તરફ ગ્લેશિયર તૂટતાં નેપાળની નદીમાં ભયાનક પૂર આવ્યું હતું અને જોતજોતામાં તો સેંકડો લોકોનાં કરુણ મોત નિપજયા હતાં. સોશિયલ મિડીયા પર જે દ્રશ્યો જોવા મળે છે તે ભલભલાને રડાવી દે તેવાં છે. નેપાળને થયેલાં નુકસાનનો આંકડો દરરોજ વધતો જાય છે.

પૂજ્ય મોરારી બાપુ આ દારુણ ધટનાથી વ્યથિત થઈ ગયા છે અને તેમણે નેપાળના લોકોને સંવેદના પાઠવી છે. પૂજ્ય મોરારી બાપુએ હનુમંત પ્રસાદ રુપે રુપિયા ૫૧ લાખની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ પૈકી રુપિયા ૧૧ લાખ ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા ભારતીય પીએમ ફંડમાં જમા કરાવવામાં આવશે અને રુપિયા ૪૦ લાખ નેપાળના વડાપ્રધાન રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. જેની વિત્તીય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરાશે. પૂજ્ય મોરારી બાપુએ ભારત સહિત વિશ્વના એનેક દેશોનાં નાગરિકો માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે કે જેમણે આ હ્રદયદ્રાવક ધટનામાં પ્રાણ ગુમાવ્યા છે. સૌનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

== સમાપ્ત ==

Related posts

એમેઝોન ગ્રોસરીના ફેસ્ટિવલ સિલેક્શનની સાથે તમારી દિવાળીને વધુ વિશેષ બનાવો

amdavadlive_editor

એસયુડી લાઈફએ, એસયુડી લાઈફ ગેરેંટી રોયલ યોજના લોન્ચ કરી, જે ખાતરીપૂર્વક નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે

amdavadlive_editor

શ્રી રાજપૂત વિદ્યાસભા અને ગુજરાત મહિલા સંગઠન દ્વારા આઠમું ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન

amdavadlive_editor

Leave a Comment