May 3, 2026
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મૂર્તિ વિસર્જન દરમિયાન માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ગત દિવસોમાં પ્રાપ્ત માહિતી અનુસાર ઠેરઠેર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ પાટણ નજીક સરસ્વતી નદીના પ્રવાહમાં ચાર લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા હતા. એક અન્ય ઘટનામાં ગઈકાલે ગાંધીનગર ખાતે દેહગામમાં મેશ્વો નદીના પ્રવાહમાં ૧૦ લોકો ડૂબી ગયા હતા જે પૈકી ૮ના મૃતદેહો મેળવવામાં આવ્યા છે અને બેની શોધખોળ કરવામાં આવી રહી છે. 

મૂર્તિ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જતાં કુલ મળીને ૧૪ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૧૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કલોલમાં રહેતા રામ કથાના શ્રોતાઓ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

અકાસા એરે દિવાળીના તેના વિશેષ ભોજનની ત્રીજી આવૃત્તિ રજૂ કરીઃ પરંપરા અને સ્વાદની અનોખી યાત્રા

amdavadlive_editor

હાયર એ ભારતમાં કિનોચી એસીની એકમાત્ર કલરફૂલ રેન્જ લોન્ચ કરી – આર્ટફુલ ઇન્ટેલિજન્સની શક્તિથી કૂલિંગમાં ક્રાંતિકારી પરિવર્તન

amdavadlive_editor

Jio Studios અને B62 Studios એ રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ નો ટીઝર રિલીઝ કર્યો છે. હવે બગાડવાનો સમય આવી ગયો છે!!

amdavadlive_editor

Leave a Comment