37.1 C
Gujarat
June 18, 2026
Amdavad Live
આરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

આ ઉનાળામાં પૌષ્ટિક નાસ્તો ખાઓ અને તમારી ત્વચાને સ્વસ્થ બનાવો

ડૉ ગીતિકા મિત્તલ, સ્કિન એક્સપર્ટ અને કોસ્મેટોલોજિસ્ટ

ઉનાળો ઘણીવાર ત્વચાના સ્વાસ્થ્ય પર અસર કરે છે, તેથી આ ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. એક સ્કિન એક્સપર્ટ હોવાના નાતે હું સલાહ આપીશ કે ત્વચાની બાહ્ય સંભાળની સાથે વ્યક્તિએ તેની આંતરિક રીતે પણ કાળજી લેવી જોઈએ. આ માટે સંતુલિત આહાર લો, જો તમે અંદરથી સ્વસ્થ હશો તો બહારથી પણ સુંદર લાગશો. અહીં અમે કેટલાક એવા સૂચનો લાવ્યા છીએ, જેને અપનાવીને તમે બદલાતી ઋતુમાં પણ તમારી ત્વચાની સારી રીતે સંભાળ રાખી શકો છો.

મુઠ્ઠીભર બદામ ખાઓઃ બદામ પોષક તત્વોથી ભરપૂર ડ્રાયફ્રુટ છે. આમાં મેગ્નેશિયમ, પ્રોટીન, રિબોફ્લેવિન, ઝિંક વગેરે જેવા લગભગ 15 પોષક તત્વો હોય છે. બદામમાં હેલ્ધી ફેટ્સ અને વિટામિન E (આલ્ફા-ટોકોફેરોલ) હોય છે, જે વૃદ્ધત્વ વિરોધી ગુણોથી ભરપૂર હોય છે અને ત્વચાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સૌથી સારી વાત એ છે કે તમે તેને તમારા આહારમાં ઘણી રીતે સામેલ કરી શકો છો. બદામને શેકીને ખાઓ, તમારી સ્મૂધી અથવા ઓટમીલમાં ઉમેરો, સલાડ સાથે ખાઓ અને બીજી ઘણી રીતો છે જેનાથી તમે તમારા રોજિંદા આહારમાં બદામનો સમાવેશ કરી શકો છો.

ફણગાવેલા કઠોળ અથવા સ્પ્રાઉટ્સ: સ્પ્રાઉટ્સ એ નાસ્તા માટે એક આરોગ્યપ્રદ વિકલ્પ છે. સાંજનો નાસ્તો હોય કે ઓફિસ બ્રેક, સ્પ્રાઉટ્સ વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. ગૂગલ સર્ચમાં પણ તમને સ્પ્રાઉટ્સના ઘણા વિકલ્પો મળશે. સલાડથી લઈને વ્રેપ સુધી, તમે વિવિધ પ્રકારના ભોજનમાં સ્પ્રાઉટ્સ ઉમેરી શકો છો અને તમારી વાનગીઓને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવી શકો છો.

વિટામિન સીથી ભરપૂર ખોરાક: તમારા આહારમાં સંતરા, દ્રાક્ષ અને સ્ટ્રોબેરીનો સમાવેશ કરો. તેમને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે, બદામ સાથે ગાર્નિશ કરો. વિટામીન E અને C એકસાથે ત્વચાને રસાયણો અને યુવીના કારણે થતી બળતરાથી સુરક્ષિત રાખે છે.

 

Related posts

મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અમદાવાદ અને જયપુર કેમ્પસમાં ફેફલ્ટી ટ્રેનિંગ સાથે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન કરિક્યુલમ-ઈન્ટરનેશનલ (WAC–i) કાર્યક્રમનો પ્રારંભ કરાયો

amdavadlive_editor

ભગવાનશ્રી સ્વામિનારાયણના સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રીની ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થયાના અવસરે કલોલ(જી.ગાંધીનગર) ની જનતા માટે પી.એસ.એમ હોસ્પિટલ ની ખાસ ભેટ

amdavadlive_editor

એપિલેપ્સી અને મેન્ટલ હેલ્થ : ચિંતા, ડિપ્રેશન અને ભાવનાત્મક સુખાકારી નું નિવારણ

amdavadlive_editor

Leave a Comment