અમદાવાદ, ગુજરાત | ૧૩મી મે ૨૦૨૬ | છેલ્લે તમે ક્યારે થિયેટરમાં જઈને દિલ ખોલીને હસ્યા હતા અને સંપૂર્ણ મજા માણી હતી? આ ડિસેમ્બરમાં એક એવી ફિલ્મ આવી રહી છે જે દર્શકોને ભરપૂર મનોરંજન આપવાનું વચન આપે છે. અક્ષય કુમાર, વિદ્યા બાલન અને નિર્દેશક અનીસ બઝ્મી ફરી એકવાર એક મોટા પરિવારિક મનોરંજનથી ભરપૂર પ્રોજેક્ટ માટે સાથે આવી રહ્યા છે. આ નામ નક્કી ન કરાયેલી હાસ્ય ફિલ્મની રિલીઝ તારીખ 4 ડિસેમ્બર 2026 રાખવામાં આવી છે.
હાલમાં જ ફિલ્મનું કેરળ શૂટિંગ શેડ્યૂલ પૂર્ણ થયું છે અને એવી ચર્ચા ચાલી રહી છે કે નિર્માતાઓ ટૂંક સમયમાં અક્ષય કુમારનો નવો દેખાવ અથવા તસવીર શેર કરી શકે છે.
આ ફિલ્મ હિન્દી ફિલ્મ જગતની સૌથી સફળ અભિનેતા-નિર્દેશક જોડીઓમાંથી એક અક્ષય કુમાર અને અનીસ બઝ્મીને ફરી એકવાર સાથે લાવી રહી છે. બંનેએ પહેલા પણ અનેક એવી મનોરંજક ફિલ્મો આપી છે જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હાસ્ય, મસ્તી અને પરિવાર સાથે માણી શકાય તેવા મનોરંજન માટે જાણીતી આ જોડીની આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ ચર્ચામાં રહેલી ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે.
શ્રી વેંકટેશ્વરા ક્રેએશન ના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર અને વિદ્યા બાલન સાથે રાશી ખન્ના પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. જ્યારે વિજય રાજ અને સુદેશ લહરી પણ ફિલ્મનો ભાગ છે.
આ ફિલ્મ અક્ષય કુમાર અને વિદ્યા બાલનની જોડીને ફરી એકવાર મોટા પડદા પર સાથે લાવી રહી છે. બંનેએ પહેલા ઘણી લોકપ્રિય ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને દર્શકો વચ્ચે તેમની જોડી આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.
ફિલ્મનું નિર્માણ શિરીષ રેડ્ડી અને કુલદીપ રાઠોડ કરી રહ્યા છે, જ્યારે કૅપ ઓફ ગુડ ફિલ્મ્સ પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલું છે. આ શ્રી વેંકટેશ્વરા ક્રેએશન 60મી ફિલ્મ છે. નિર્માતા દિલ રાજુ ફરી એકવાર એવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેમાં મોટો કલાકારવર્ગ, મજબૂત નિર્દેશન અને મનોરંજનનો સંપૂર્ણ પેકેજ જોવા મળશે.
ફિલ્મનું શૂટિંગ નક્કી કરાયેલા સમય મુજબ આગળ વધી રહ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે આ 2026ના અંતની સૌથી મોટી પરિવારિક મનોરંજન ફિલ્મોમાંથી એક બનશે. એવા સમયમાં જ્યારે મોટા પડદા પર એક્શન અને ભવ્ય ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે આ ફિલ્મ આખા પરિવારને ફરીથી થિયેટર સુધી ખેંચી લાવવાની ક્ષમતા ધરાવે છે।

