36.9 C
Gujarat
May 13, 2026
Amdavad Live
ગુજરાતરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

ગુજરાતની યુવા નૃત્યાંગના ચિ. અનેરીએ ભરતનાટ્યમ આરંગેત્રમ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા

અમદાવાદ, ગુજરાત | ૧૩મી મે ૨૦૨૬ | નૃત્યભારતી એકેડેમીના સંસ્થાપક કલાગુરુ શ્રીમતિ ઇલાક્ષીબેન ઠાકોરના આશીર્વાદથી અને ગુરુ શ્રી ચંદન ઠાકોર તથા શ્રીમતિ નિરાલી ઠાકોરના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ, અમદાવાદના તબીબ દંપતિ ડૉ.વાચા શાહ અને ડૉ. કુંતલ શાહની સુપુત્રી, ચિ.અનેરીનું ભરતનાટ્યમ આરંગેત્રમ, ટાગોર હોલ, અમદાવાદ ખાતે તાજેતરમાં સંપન્ન થયેલ છે.

ઉદગમ સ્કુલની વિદ્યાર્થીની અનેરીએ ૧૩ વર્ષની નાની વયે આ સિધ્ધિ મેળવી આપણી પ્રાચિન નૃત્યકલાનો વારસો જાળવી ગુજરાતનું નામ પણ રોશન કરેલ છે. આવનાર વર્ષોમાં તેની આ નૃત્ય સાધના આગળ વધે તેવી શુભેચ્છા.

Related posts

વડોદરા: 2026 માં માત્ર રોકાણ માટે નહીં પણ લોકો રહેવા માટે ઘર શા માટે ખરીદશે

amdavadlive_editor

મેકમાયટ્રિપ અને ડ્રુકએર ડાયરેક્ટ- ફ્લાઈટ હોલીડે પેકેજીસ સાથે ભૂતાનને અમદાવાદથી પહોંચક્ષમ બનાવે છે

amdavadlive_editor

“મારા પરિવારની બંને બાજુ પ્રત્યક્ષ રીતે આઝાદીની લડતમાં સંકળાયેલી હતી,” ફ્રીડમ એટ મિડનાઈટમાં ફાતિમા ઝીણાનું પાત્ર ભજવતી ઈરા દુબે ખૂલીને વાત કરે છે

amdavadlive_editor

Leave a Comment