33.2 C
Gujarat
September 20, 2024
Amdavad Live
આંતરરાષ્ટ્રીયગુજરાતધાર્મિકરાષ્ટ્રીય

જમ્મુ ખાતે શહીદ થયેલા જવાનોને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને ઉન્નાવ દુર્ઘટનામાં પરિવારજનોને સહાય

જમ્મુ કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃત્તિ ચાલે છે જેને નેસ્તનાબુદ કરવા માટે ભારત સરકાર દ્વારા પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવે છે. બે દિવસ પહેલા સર્ચ ઓપરેશન દરમિયાન ત્રાસવાદીઓ દ્વારા સર્ચ ટુકડી પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પાંચ જવાનો શહીદ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ જવાનોની શહીદીને વંદન કર્યા છે અને એમને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા તમામ જવાનો માટે આર્મી વેલફેર ફંડમા ૭૫,૦૦૦ નું અનુદાન અર્પણ કર્યું છે.

અન્ય એક બનાવમાં બિહારથી દિલ્હી જઈ રહેલી એક ખાનગી બસને ઉન્નાવ નજીક ભયંકર અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૮ લોકોનાં મોત નિપજયા છે. ઘટનાની વિગતો મેળવવામાં આવી રહી છે અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે જે સેવા ઉત્તરપ્રદેશના રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

સ્વાતંત્ર પર્વ નિમિત્તે સ્વરા ગ્રુપ દ્વારા સ્વરા હાઉસ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

amdavadlive_editor

એમેઝોન.ઈન એ 6 થી 11 ઓગસ્ટ, 2024 દરમિયાન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલની જાહેરાત કરી

amdavadlive_editor

ટાટા મોટર્સે પ્રવાસ 4.0 માં સલામત, સ્માર્ટ અને ટકાઉ માસ મોબિલિટી સોલ્યુશન્સનું પ્રદર્શન કર્યું

amdavadlive_editor

Leave a Comment