38.9 C
Gujarat
May 19, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઝાંસી હોસ્પિટલમાં માર્યા ગયેલા બાળકોને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને પરિજનોને સહાય

અમદાવાદ 16 નવેમ્બર 2024: પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે અત્યંત કરુણ બનાવ બનવા પામ્યો છે જેમાં એક હોસ્પિટલની અંદર 10 નવજાત શિશુઓ જીવતા મૃત્યુ પામ્યા છે. ગઈકાલે મઘરાતે બનેલા આ બનાવમાં ઝાંસી સ્થિત રાણી લક્ષ્મીબાઈ હોસ્પિટલના ચીલ્ડ્રનવોર્ડમાં ભયાનક આગ લાગી હતી. એ વોર્ડમાં 39 જેટલાં શિશુઓ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોતજોતામાં આગ વિકરાલ બની હતી અને તે કરુણ ઘટનામાં 10શિશુઓના દુઃખદ મોત નીપજ્યા હતા.

પૂજ્ય મોરારીબાપુને આ સમાચાર પ્રાપ્ત થતા તેમણે આ ઘટનામાં માર્યા ગયેલા તમામ નવજાત શિશુઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલા બાળકોના પરિજનોને પ્રત્યેકને રૂપિયા 15,000 લેખે કુલ મળીને રૂપિયા, 1,50,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે વારાણસી સ્થિત શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે.

પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

ગ્લોબલ સ્ટાર રામ ચરણ અને જાહ્નવીની ફિલ્મ પેડ્ડીનો પહેલો શોટ રિલીઝ, આ ફિલ્મ 27 માર્ચ 2026 ના રોજ રિલીઝ થશે

amdavadlive_editor

LG ઇલેક્ટ્રોનિક્સે લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામની જાહેરાત કરી

amdavadlive_editor

ટાટા મોટર્સે બેંગ્લોરમાં ટકાઉ શહેરી પરિવહનને મજબૂત કર્યું

amdavadlive_editor

Leave a Comment