33.4 C
Gujarat
August 5, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આજે વિશ્વમાં ધર્મ ટકી રહ્યો છે, તે ભારતને કારણે છે, આરએસએસ નેતા સુરેશ ભૈયાજી જોષીએ બરસાનામાં મોરારી બાપુની કથામાં કહ્યું

બરસાના | ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫: બરસાનામાં ચાલી રહેલી મોરારી બાપુની “માનસ ગૌ સૂક્ત” રામકથામાં શુક્રવારે સવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોષીએ હાજરી આપી હતી અને કહ્યું હતું કે આજે વિશ્વમાં જો ધર્મ ટકી રહ્યો છે, તો તે ભારતને કારણે છે.

ભૈયાજીએ કહ્યું કે ભારતમાં ધર્મની જીવંતતા સંતો, મહાત્માઓ, સંન્યાસીઓ, પ્રવચનકારો અને કથાકારોની અમૂલ્ય પરંપરાને કારણે છે. તેમણે શ્રદ્ધાપૂર્વક મોરારી બાપુના ચરણોમાં નમન કરતાં કહ્યું, ‘આપણે બધા સામાન્ય લોકો આવા મહાપુરુષોના ચરણોમાં બેસીને તેમના વિચારો સાંભળીએ છીએ, આચરણનો સંકલ્પ લઈએ છીએ અને આનું જ પરિણામ છે કે સનાતન ધર્મ આજે પણ જીવંત છે.

તેમણે આગળ કહ્યું કે ઇતિહાસમાં અનેક વખત ધર્મ પર સંકટ આવ્યું છે અને ભવિષ્યમાં પણ પડકારો આવશે, ‘પરંતુ ભગવાન પોતે જ આપણી રક્ષા કરે છે, કારણ કે તેઓ ઇચ્છે છે કે ભારત સનાતન બની રહે અને અહીંના લોકો સનાતન ધર્મનું પાલન કરતા રહે.

સંતો અને આધ્યાત્મિક ગુરુઓના માર્ગદર્શનને રેખાંકિત કરતાં તેમણે કહ્યું કે શ્રદ્ધાળુઓ તેમની પાસેથી શક્તિ, ઊર્જા અને પ્રેરણા મેળવે છે. તેમણે વિશેષરૂપે રમેશ બાબાજી અને મોરારી બાપુનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમના ઉપદેશો લોકોને ધર્મના માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરે છે.

ભૈયાજીએ સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતાં કહ્યું, ‘જ્યાં સુધી ભારતમાં ધર્મ છે, ત્યાં સુધી વિશ્વમાં ધર્મ છે, અને જો ભારતમાં ધર્મ સમાપ્ત થઈ જશે તો વિશ્વમાં પણ ધર્મનું અસ્તિત્વ રહેશે નહીં.

કથામાં સુરેશ ભૈયાજી જોષીનું સ્વાગત કરતાં મોરારી બાપુએ આરએસએસની સરાહના કરી અને કહ્યું કે આ સંસ્થા સનાતન ધર્મ, વૈદિક પરંપરાઓ અને વ્યાપક હિન્દુત્વના સંદેશને વિશ્વ સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે.

બાપુએ કહ્યું, ‘આરએસએસ પોતાની શતાબ્દી મનાવી રહી છે અને આ જ સંસ્થામાંથી એક વિદ્વાન વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે આવ્યા છે. આવો, આપણે સૌ સાથે મળીને એક સૂરમાં આગળ વધીએ, જેમ આપણા પૂર્વજો એકસાથે દેવતાઓની ઉપાસના કરતા હતા.’

બરસાનાની પવિત્ર નગરીમાં ચાલી રહેલી ‘માનસ ગૌ સૂક્ત’ રામકથા દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ અને સંતોને આકર્ષિત કરી રહી છે. આ મોરારી બાપુના છ દાયકાથી પણ વધુ લાંબા આધ્યાત્મિક પ્રવાસની ૯૬૪મી કથા છે.

Related posts

પીએસએમ હોસ્પિટલ કલોલ (ગાંધીનગર)ને જરૂરિયાતમંદ દર્દી-નારાયણોની અવિરત સેવાના ભગિરથ કાર્ય બદલ પ્રાપ્ત થયો “આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન એવોર્ડ”

amdavadlive_editor

લિંક્ડઇન વર્ક ચેન્જ સ્નેપશોટ પરથી જાણવા મળ્યું કે આ વર્ષે નિમણૂક કરાયેલ 10% કર્મચારીઓની પાસે એવા હોદ્દા છે જે 2000 માં અસ્તિત્વમાં નહોતા

amdavadlive_editor

1થી 5 જૂન, 2025 દરમિયાનAmazon.inના હૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને તમારા ઘરને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર કરો

amdavadlive_editor

Leave a Comment