31.7 C
Gujarat
June 15, 2025
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મધ્યપ્રદેશના મંદસૌર ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૨૮ એપ્રિલ ૨૦૨૫: ગઈકાલે મધ્યપ્રદેશના મંદસૌર ખાતે અકસ્માતમાં ૧૨ લોકોનાં કરુણ મોત નિપજયા છે તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. અખબારી અહેવાલ મુજબ મધ્યપ્રદેશના મંદસૌર જીલ્લામાં નારાયણ ગઢ વિસ્તારમાં રસ્તા પર આડા આવેલ બાઈકને બચાવવા જતાં એક ઈકો કાર પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર કુવામાં ખાબકી હતી અને તે કૂવામાં ગેસ ગળતર થતાં ૧૨ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૮૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ વિતજા સેવા કથાના શ્રોતા મુંબઈ સ્થિત શ્રી વરુણ મોદી દ્વારા મધ્યપ્રદેશ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

પ્રાચિન-ઐતિહાસિક નગરી સ્પેનની માર્વેલસ ભૂમિ માર્બેલાથી ૯૪૩મી રામકથાનો આરંભ થયો

amdavadlive_editor

અભય પ્રભાવના: ભારતનું ‘મ્યુઝિયમ ઓફ આઇડિયાઝ’ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી સાથે એક નવા યુગની શરૂઆત કરે છે

amdavadlive_editor

એસવીયૂઇટીના માધ્યમથી પ્લેસમેન્ટ કેન્દ્રિત એસવીયૂ મુંબઇના સમગ્ર બી.એ., અને બી.એસસી પ્રોગ્રામ્સ તેમજ જેઇઇ/એમએચટી-સીઇટીના માધ્યમથી બી.ટેક.પ્રોગ્રામ્સ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

amdavadlive_editor

Leave a Comment