31.2 C
Gujarat
May 30, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મારો મારગ વિશ્વાસનો છે. મેં જે કાંઈ મેળવ્યું છે એ વિશ્વાસથી જ મેળવ્યું છે – પૂજ્ય બાપુ

આસુરી તત્વના નિર્વાણ અને સભ્યતાની સુરક્ષા માટે શસ્ત્રો ઉઠાવવા પડે છે.

આજે વિશ્વને એવા સાધુચરિત્ લોકોની જરૂર છે, જેમાં માત્ર માનવતા હોય.

“માનસ નાલંદા વિશ્વવિદ્યાલય” ના આજના ચોથાદિવસના સંવાદમાં પૂજ્ય બાપુએ કહ્યું કે કથાની બે કેન્દ્રીયચોપાઈઓ પૈકી પ્રથમ ચોપાઈમાંવશિષ્ઠજીનીયુનિવર્સિટીનો સંકેત છે, જ્યારે બીજી ચોપાઈમાંવાલ્મિકીજીનીયુનિવર્સિટીનો સંકેત સમાયેલો છે. વસિષ્ઠજીનાવિદ્યાલયમાં રામ ગયા અને બધી જ વિદ્યા તેમનામાં સમાઈ ગઈ. વશિષ્ઠજીનીયુનિવર્સિટીનો એ સ્વભાવ છે કે શિષ્ય ગુરુને જુએ અને ગુરુમાં રહેલી બધી જ વિદ્યા શિષ્યમાં સમાઈ જાય!

ગુરુ, શિષ્યમાં પોતાની જાતને પૂરી રીતે ઉતારી દે છે. એ માટે શિષ્યમાં ચાર વસ્તુ હોવી જરૂરી છે. પહેલું આર્ત ભાવ. શિષ્ય આર્ત હોવો જોઈએ. એનાં હૃદયમાંથીચીખ- એક પોકાર ઊઠવો જોઈએ. પછી એવો આર્ત શિષ્ય પોતાના પ્રયાસથી નહીં, તો ગુરુના પ્રસાદથી પામી જાય છે. બીજું, શિષ્ય લક્ષ્ય પ્રાપ્તિ માટે અર્થાર્થિ હોવો જોઈએ. ત્રીજું,  શિષ્ય જિજ્ઞાસુ હોવો જોઈએ જીજ્ઞાસાના ત્રણ પ્રકાર છે -બ્રહ્મ જિજ્ઞાસા, ભક્તિ જિજ્ઞાસા અને ધર્મ જિજ્ઞાસા. જિજ્ઞાસુ શિષ્યમાં ગુરુ સમાઇ જાય છે, પછી દ્વૈત મટી જાય છે અને અદ્વૈત પ્રગટ થાય છે. આ જ્ઞાનની ભૂમિકા છે. ભગવાન રામ આર્ત છે. મનુષ્ય રૂપમાં હોવાને લીધે અર્થાર્થિ છે અને જિજ્ઞાસા સાથે તેઓ ગુરુગૃહ આવ્યા છે તેથી વશિષ્ઠજીની બધી જ વિદ્યા તેમનામાં સમાઈ ગઈ છે.

ગુરુ મહાદાની હોય છે. ગુરુ પોતાનું સર્વસ્વ શિષ્યને અર્પિત કરી દે છે. ગુરુ ખાલીને ભરી દે છે અને તો ય એમની પાસેથી કશુંય ઘટતું નથી. વાલ્મિકીજીએ રામાયણમાં “કાંડ” શબ્દનો પ્રયોગ કર્યો છે. કાંડ હંમેશા મનુષ્યમાં હોય છે. તુલસીના રામ પરમાત્મા છે અને પરમાત્મા સુધી પહોંચવા માટે પગથિયાંની જરૂર છે, એટલે માનસમાં “કાંડ” નહીં પણ “સોપાન” શબ્દનો પ્રયોગ તુલસીદાસજીએ કર્યો છે. વશિષ્ઠજીનીયુનિવર્સિટીમાં પાંચ વિદ્યાઓ છે- બ્રહ્મવિદ્યા, યોગ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, વેદ વિદ્યા અને લોકવિદ્યા. વશિષ્ઠજીની પાસેથી શાસ્ત્ર વિદ્યા મેળવીને પછી ભગવાન રામ વિશ્વા મિત્રજીની યુનિવર્સિટીમાં જાય છે. તેમણે ભગવાનનેશાસ્ત્રવિદ્યા આપી છે. બાપુએ અહીં સૂચક રીતે જણાવ્યું કે

“જો આપણને અસ્ત્ર-શસ્ત્રની વિદ્યા મળી હોત, તો આપણે આક્રમણખોરોનો સામનો કરી શક્યા હોત.”

પરંતુ સાથોસાથ બાપુએ એમ પણ કહ્યું કે

“હું કદી પણ શસ્ત્ર કે  યુદ્ધના પક્ષમાં નથી. આસુરી તત્વોના નિર્વાણ માટે અને સભ્યતાની સુરક્ષા માટે શસ્ત્ર વિદ્યા જરૂરી છે. એટલે તો કૃષ્ણ ભગવાને પણ યુદ્ધમાં ઉતરવું પડ્યું હતું.”

રામનેવિશ્વામિત્રજીએ બલા- અતિબલા વિદ્યા, અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા, ઉદ્ધારક વિદ્યા, યજ્ઞ વિદ્યા અને યાત્રા વિદ્યા આપી હતી. બલા અને અતિબલા વિદ્યાથી વ્યક્તિને ભૂખ તરસ લાગતાં નથી. અસ્ત્ર- શસ્ત્રની વિદ્યાથી રામ આસુરી તત્વોનું નિર્વાણ કરે છે. ઉદ્ધારક વિદ્યાથી રામેઅહલ્યાનો ઉદ્ધાર કરીને તેનો સ્વીકાર કર્યો છે. યજ્ઞ વિદ્યાથી રામેઋષિઓના યજ્ઞની રક્ષા કરી છે અને યાત્રા વિદ્યામાં વિશ્વામિત્રજીરામનેજનકપુરી લઈ જાય છે. યાત્રા વિદ્યા દ્વારા ગુરુ શિષ્યને વિશ્વનું દર્શન કરાવે છે. બાપુએ કહ્યું કે

“આ ભાસ્ય નથી, આ કેવળ ગુરુ કૃપા છે.”

ગુરુ કૃપાથી કેટલીક વાતો માત્ર ત્યારે જ સમજી શકાય છે, જ્યારે આશ્રિતને ત્રણ નેત્ર મળે છે. મહાદેવ સાથે જોડાયેલા ત્રણ શબ્દો શિષ્યનાં ત્રણ નેત્ર બને છે – નીજ, અજ અને સહજ. અજ એટલે અજન્મા. વિશ્વાસ કદી જન્મતો નથી, એ સ્વભાવ રૂપે હોય છે. વિશ્વાસ પોતાની પર – નીજ પર – કરવો પડે છે. અન્ય ઉપર કરેલો વિશ્વાસ ક્યારેક વિશ્વાસઘાતમાં પરિણમી શકે છે. વ્યક્તિને પોતાનો ખુદનો ભરોસો હોવો જોઈએ – પોતાની જાત પર શ્રદ્ધા, ઉધાર વિશ્વાસ નહીં! ત્રીજી આંખ છે – સહજતા. વ્યક્તિને સહજ વિશ્વાસ હોવો જોઈએ.

શિષ્ય પાસે આ ત્રણ દ્રષ્ટિ આવી જાય પછી વશિષ્ઠ- વિદ્યાલય અને વિશ્વામિત્ર- વિદ્યાલયનેઊંડાણપૂર્વક સમજી શકાય છે. બાપુએ કહ્યું કે મારો માર્ગ વિશ્વાસનો છે. હું જે કાંઈ સમજ્યો છું, તે વિશ્વાસથી જ સમજ્યો છું.

તક્ષશિલાનો અર્થ આપતા બાપુએ કહ્યું કે તક્ષ એટલે તરાશવું અને શિલા એટલે પથ્થર. વિદ્યાલયમાં જે છાત્ર આવે છે, તે પથ્થર જેવા હોય છે- પોત પોતાની જાતના અલગ અલગ પથ્થર! વિદ્યાપીઠના કુલપતિ એને તરાશે છે અને અનાવશ્યક પથ્થરને હટાવી દે છે.

જેમ પ્રત્યેક હૃદયમાં પરમાત્મા હોય છે, પ્રત્યેક દોરામાં વસ્ત્ર છુપાયેલું છે અને દરેક વૃક્ષમાં પૂતળી- કાષ્ઠ મૂર્તિ – છુપાયેલી હોય છે. ગુરુ જ્યારે વૃક્ષ પરનું અનાવશ્યક લાકડું દૂર કરી દે છે ત્યારે તેમાંથી સુંદર પૂતળી પ્રગટ થાય છે.

પ્રત્યેક વ્યક્તિમાં જન્મ જન્મના અનેક શરીર પડેલા છે. અવસર મળતા જ એ પ્રગટ થાય છે. જગતને આચાર, વિચાર અને સંસ્કાર આપે એ તક્ષશિલા છે! બાપુએ કહ્યું કે પ્રકાશ સારો છે પરંતુ એ દોષ દર્શન પણ કરાવે છે. અંધારામાં કોઈ પણ વસ્તુના ગુણ- દોષ જોઈ શકાતા નથી. અંધારાનો પણ પોતાનો અજવાસ હોય છે. અંધારું અને અજવાળું બંને સાપેક્ષ છે. સાધના માટે અંધારું ઉપયોગી છે. અહીં સૌની પોતપોતાની ઓળખ છે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ અન્યની જેવી હોતી નથી. બાપુએ કહ્યું હતું કે મહાદેવજી “નીલ કંઠ” છે, કાક ભૂષંડીજી “શીલ કંઠ” છે, યાજ્ઞવલ્ક્યજી “દિલ કંઠ” છે અને તુલસીદાસજી “કીલ કંઠ” (કોકિલ કંઠ) છે.

કથાના ક્રમમાં પ્રવેશતા પૂજ્ય બાપુએ શિવ ચરિત્રને આગળ વધારતાસતિ દ્વારા રામની પરીક્ષા, શિવ સમક્ષ સતીનું જૂઠ બોલવું, શિવ દ્વારા સતીનો ત્યાગ અને અખંડ સમાધિમાં બેસવું, પિતાના યજ્ઞમાં સતીનો દેહત્યાગ,  હિમાલયના ઘરે પાર્વતી રૂપે પુનર્જન્મ, શિવ વિવાહ પછી કાર્તિકનો જન્મ અને તાડકાસુરનું નિર્વાણ, પછી પાર્વતીજી દ્વારા રામકથાના શ્રાવણની જીજ્ઞાસા સુધીની કથા સંક્ષેપમાંવર્ણવીને બાપુએ આજની કથામાં પોતાની વાણીને વિરામ આપ્યો.

Related posts

સ્કાય ફોર્સમાં વીર પહાડિયાનું પ્રદર્શન શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યું

amdavadlive_editor

Amazon.inના ‘વિન્ટર વેલનેસ સ્ટોર’ પર ઉપલબ્ધ સીઝનની આવશ્યક ચીજવસ્તુઓ ખરીદીને આ વર્ષે શિયાળામાં પોતાની તંદુરસ્તી જાળવો

amdavadlive_editor

સુરતના આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડ (AESL) ધોરણ ૧૨ નો વિદ્યાર્થી અમૃતાંશા સિંહા CBSE 2024 ની પરીક્ષામાં સિટી ટોપર બન્યો

amdavadlive_editor

Leave a Comment