40.9 C
Gujarat
May 3, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બિહાર , મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં મ્રુત્યુ પામેલાને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૦૪ એપ્રિલ ૨૦૨૬ — થોડા દિવસો પહેલાં બિહાર, મહારાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અનેક લોકો અકુદરતી મોતને ભેટ્યા છે. બિહારમાં નાલંદા વિસ્તારમાં આવેલા એક મંદિરમાં દર્શન કરવા આવેલ લોકોમાં ભાગદોડ મચી જતા પ્રાપ્ત વિગતો અનુસાર આઠ લોકોના કરુણ મૃત્યુ નીપજયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પૂજય મોરારિબાપુએ આ કરુણાંતિકામાં જીવ ગુમાવનારા પરત્વે સંવેદના વ્યક્ત કરી તેમનાં પરિવારજનોને રુપિયા ૧૫,૦૦૦ લેખે કુલ મળીને ૧,૨૦,૦૦૦ ની સહાય કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.

અન્ય બનાવમાં મહુવા નજીક હાઈવે પર અકસ્માતમાં એક દંપતિ ખંડીત થયું હતું જેમના પરિવારને પણ રુપિયા ૧૫,૦૦૦ ની સહાય મોકલવામાં આવશે. સિહોર પાસેના કાજાવદર ગામે ડમ્પરે બાઇકને અડફેટે લેતાં બે વ્યકિતના મોત નિપજયા હતા ત્યારે તેમના પરિવારજનોને પણ રુપિયા ૩૦,૦૦૦ ની સહાય મોકલવામાં આવશે.

તાજા સમાચાર મુજબ મહારાષ્ટ્રમાં નાસિકમાં એક કાર કુવામાં ખાબકી હતી અને તેમાં ૯ લોકોનાં મોત થયા હતા. તેમના પરિવારજનોને પણ રુપિયા ૧,૩૫,૦૦૦ ની સંવેદના રાશિ પૂજ્ય બાપુ તરફથી મોકલવામાં આવશે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરાશે. પૂજય મોરારિબાપુએ તમામ મરુતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેના પરિવારને સાંત્વના પાઠવી છે.

Related posts

રોહન જરદોશે (તપધારી)એ અઠ્ઠઈના ઉપવાસનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ જણાવ્યું

amdavadlive_editor

ફાર્માટેક એક્સ્પો ૨૦૨૫, ગાંધીનગર ખાતે ટેકનોલોજીના નવા યુગનો પ્રારંભ

amdavadlive_editor

આજે વિશ્વમાં ધર્મ ટકી રહ્યો છે, તે ભારતને કારણે છે, આરએસએસ નેતા સુરેશ ભૈયાજી જોષીએ બરસાનામાં મોરારી બાપુની કથામાં કહ્યું

amdavadlive_editor

Leave a Comment