35.4 C
Gujarat
May 19, 2025
Amdavad Live
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત

।। રામ ।।

ગુજરાત, તલગાજરડા ૧૩ માર્ચ ૨૦૨૫: પૂજ્ય મોરારિબાપુની રામકથા તાપી જીલ્લામાં સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિઓ પણ ચાલે છે. અનેક કારણોસર લોકોનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. કથા દરમિયાન એક શ્રોતાએ પૂજ્ય બાપુને વિનંતી કરી હતી કે આ વિસ્તારમાં શાળાઓ ઓછી છે અને તેથી મફત શિક્ષણ આપવાના બહાને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. તો આપને વિનંતી છે કે આપ સરકારને તથા ઉધોગ જગતના લોકોને અપીલ કરો અને વધુને વધુ શાળાઓનું નિર્માણ થાય તો વટાળ પ્રવુતિઓ અટકે.

પૂજ્ય મોરારીબાપુએ આ વેદનાનો પ્રતિસાદ આપતાં કહ્યું હતું કે એમની પાસે જ્યારે ઉદ્યોગપતિઓ આવશે તો ચોક્કસ નવી શાળાનું નિર્માણ થાય તેવુ કહેશે. એ ઉપરાંત પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જે પણ નવી શાળાનું નિર્માણ થાય તે વખતે પૂજ્ય બાપુનાં શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા પ્રત્યેક શાળા દીઠ રુપિયા એક લાખનું તુલસીપત્ર અર્પણ કરવામાં આવશે. આજની કથામાં ગુજરાત સરકારના ગ્રુહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંધવીની વિશેષ ઉપસ્થિતિ રહી છે.

Related posts

IJR 2025 અનુસાર ગુજરાતમાં HC ન્યાયાધીશ અને HC કર્મચારીઓની સૌથી વધુ ખાલી જગ્યા

amdavadlive_editor

રેમેડિયમ લાઇફકેર: અમારા અધિકારો સાથે ફાર્મા તરંગ પર સવારી કરો મુદ્દો!

amdavadlive_editor

અનકન્ડિશનલ ફેઇથ-એટલે કે બેશર્ત શ્રદ્ધા એ જ ભરોસો

amdavadlive_editor

Leave a Comment