40.1 C
Gujarat
May 18, 2025
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી

અમદાવાદ ૦૧ એપ્રિલ ૨૦૨૫: મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલના ૧૦૭૫માં પ્રાગટ્ય વર્ષે તારીખ ૩૦/૦૩/૨૫ રવિવારના રોજ  ચેટીચંડના પાવન તહેવાર નિમિતે મણિનગર સિંધી માર્કેટથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે મણિનગર માર્કેટ બપોરે ૪ કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન, મણિનગર ક્રોસિંગ, દક્ષિણી સોસાયટી, ગુડલક સોસાયટી, નેતાજી સોસાયટી, જયહિન્દ ચાર રસ્તા, જવાહર ચોક, ભૈરવનાથ, પુષ્પકુંજ થઈ ઝુલેલાલ ઓપનએર થિયેટર ખાતે આશરે 6 કિલોમીટર જેટલા એરિયામાં ફરીને અંદાજે રાત્રે ૧૦ વાગે પૂર્ણ થઇ હતી.

આ શોભાયાત્રામાં કુલ 40 જેટલા ટ્રકો સાથે સહભાગી ૧૩ મંડળો દ્વારા અંદાજે ૧૩ જેટલી ઝાંખીઓ, ૨૭ પ્રસાદીના ટ્રક તથા બહેરાણા સાહેબની જ્યોત સાહેબ, ૧૩ જેટલા ગ્રુપ પુરુષોની છેજ, ૮ જેટલા ગ્રુપ મહિલાઓ ની છેજ તથા અનેક ભાવિભક્તો આ શોભાયાત્રામાં ભાવપૂર્વક જોડાયા હતા. આ શોભાયાત્રામાં અત્યારના કરંટ અફેરને લગતા સામાજિક સંદેશાઓ પણ ફેલાવ્યા હતા.

આ શોભાયાત્રા કાર્યક્રમમાં ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલરો અને અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Related posts

ભારત પરિવારો માટે શાનદાર દિવાળી: શોપ્સીએ તેના મોટા દિવાળી સેલની શરૂઆત કરી

amdavadlive_editor

બાઇકર્સ ક્લબ અમદાવાદ એમ્બેસીએ સફળતાપૂર્વક “તેરે શહેર મેં V 2.0” મોટરસાઇકલ રાઇડનું સફળ આયોજન કર્યું

amdavadlive_editor

બીએનઆઈ મેક્સિમસે ફોર્જિંગ કનેક્શન અને ગ્રોથ સરળ બનાવવાના 10 વર્ષની ઉજવણી કરી

amdavadlive_editor

Leave a Comment