32.9 C
Gujarat
May 19, 2025
Amdavad Live
આરોગ્યગુજરાતજીવનશૈલીપર્યાવરણરાષ્ટ્રીયહેડલાઇન

આણંદ ખાતે મહા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

આણંદ 02 ઓક્ટોબર 2024: આજે આપણે સૌ સ્વચ્છતા ના શપથ લઈએ, આપણા ઘરનો કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં જ નાખીએ અને આપણું ઘર, આપણું આંગણું, આપણું નગર સ્વચ્છ રાખીએ તેમ જણાવતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું કે આજે તારીખ ૨ જી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે જ્યારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આપણા નગરને આપણા તાલુકાને આપણા રાજ્ય અને દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે.

વધુમાં તેમણે જણાવ્યું કે સ્વચ્છતા તે માત્ર પખવાડિયા નો તહેવાર ન બની જાય પરંતુ સ્વચ્છતા આપણા જીવનમાં ઉતારીએ અને આ સંદેશો જનજજન સુધી પહોંચાડીએ તેવી પણ અપીલ તેમણે કરી હતી.

આજે યોજાયેલ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં બોરસદ ચોકડી થી જીટોડીયા રોડ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ સ્વચ્છતા અભિયાનમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.વી. દેસાઈ, મામલતદાર શ્રી ચૌધરી, અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, સુનિલભાઈ પટેલ, ચીફ ઓફિસર શ્રી એસ.કે. ગરવાલ સહિત આણંદ નગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ પદાધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Related posts

ક્રિકેટ પ્રેમીઓ માટે મફત પાસ! સેલિબ્રિટી ક્રિકેટ લીગ સીઝન ૧૧ સુરતમાં રોમાંચ ફેલાવવા માટે તૈયાર

amdavadlive_editor

સોનુ સૂદ સેલિબ્રિટી ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા – પંજાબ દે શેર સુરતને પોતાનું હોમ ગ્રાઉન્ડ બનાવશે!

amdavadlive_editor

તૈયાર થઈ જાવ Amazon.inના ‘ગેટ ફેસ્ટિવ રેડી સ્ટોર’ની આગામી ઉજવણી માટે

amdavadlive_editor

Leave a Comment