32.9 C
Gujarat
May 3, 2026
Amdavad Live
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

હર્બલાઇફ ઇન્ડિયાએ વ્રિતીલાઇફ આયુર્વેદિક સ્કીન કેર રેન્જ માટે સ્મૃતિ મંધાના અને મણિકા બાત્રાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની ઘોષણા કરી

રાષ્ટ્રીય ૨૩ જૂન ૨૦૨૫: કોમ્યુનિટી અને પ્લેટફોર્મ કંપની હર્બલાઇફ ઇન્ડિયાએ ભારતના અગ્રણી સ્પોર્ટ્સ આઇકોન્સ ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મણિકા બાત્રા સાથે પોતાની વ્રિતી આયુર્વેદિક સ્ક્રીન કેર રેન્જ માટે પોતાની ભાગીદારી લંબાવવાની ઘોષણા કરી છે. આ વ્યૂહાત્મક ભાગીદારીનો હેતુ ક્લિનીકલી પરીક્ષણ કરેલ ત્વચાસંભાળ રુટીન મારફતે સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને તે હર્બલાઇફની અંદર અને બહાર સુખાકારીને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પાડે છે.

એથલેટ્સ જેમ ઊંચા પ્રકારનો શારીરિક અને પર્યાવરણીય તણાવનો સામનો કરતા હોય છે ત્યારે સ્મૃતિ મંધાના અને મણિકા બાત્રા ગુણવત્તા કે વિશ્વસનીયતા પર સમાધાન કર્યા વિના તેમની સક્રિય જીવનશૈલીને ટેકો આપતી સભાન ત્વચાસંભાળની અગત્યતાને સમજે છે. આ ભાગીદારીમાં ચેમ્પિયનીંગ ત્વચાસંભાળમાં વિભાજિત વિઝનને છતું કરે છે – પ્રત્યેક વ્યક્તિને પોતાની ત્વચા વિશે આત્મવિશ્વાસનો અનુભવ કરાવવા સક્ષમ બનાવવા માટે આધુનિક વિજ્ઞાન સાથે આયુર્વેદિક પરંપરાનું મિશ્રણ કરે છો.

હર્બલાઇફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અજય ખન્નાએ જણાવ્યું હતુ કે, “વ્રિતીલાઇફ આયુર્વેદના સિદ્ધાંતોમાં મૂળ ધરાવતું અને વિજ્ઞાનથી સમર્થિત પોષણને સભાન ત્વચાસંભાળમાં અમારા હાલમાં આગળ ધપતી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પાડે છે. અમે આ રેન્જને વિસ્તારવાનું સતત રાખ્યુ હોવાથી અમે સ્મૃતિ મંધાના અને મણિકા બાત્રા હર્બલાઇફના પહેલેથી જ મુલ્યવાન એમ્બેસેડર્સ છે – તેઓએ વ્રિતિલાઇફ સ્કીનકેર રેન્જને ચેમ્પિયન બનાવવા માટે તેમનો સહયોગ લંબાવ્યો છે. તેમાં સંતુલન, મજૂબતાઇ અને વિશ્વનીયતાના તત્ત્વનો સમાવેશ થાય છે –  એવા મુલ્યો છે જે વ્રિતીલાઇફનો આંતરિક ભાગ છે. તેમના પ્રેરણાત્મક મુસાફરી અમને વધુને વધુ લોકો ઉમદા સુખાકારીના સક્ષમ પરિબળ તરીકે સ્કીનકેર અપનાવે તેવું તેમને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.”

વ્રિતીલાઇફની આયુર્વેદિક ત્વચા સંભાળ શ્રેણીમાં હાલમાં ફેશિયલ ક્લીંઝર, ફેશિયલ ટોનર, ફેશિયલ સીરમ અને મોઇશ્ચરાઇઝરનો સમાવેશ થાય છે. ત્વચા સંભાળ શ્રેણી લીમડો, હળદર, એલોવેરા અને કુમકુમાડી તેલ જેવા વનસ્પતિઓના ઉપયોગ માટે અલગ તરી આવે છે. આ ઘટકો ત્વચારોગ વિજ્ઞાન દ્વારા પરીક્ષણ કરાયેલા, પેરાબેન-મુક્ત, સલ્ફેટ-મુક્ત અને હાઇપોઅલર્જેનિક સક્રિય પદાર્થો સાથે જોડાયેલા છે. દરેક ફોર્મ્યુલેશન અસરકારકતા પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યું છે, જે સખત ક્લિનિકલ માન્યતા અને હર્બલાઇફના વૈશ્વિક ગુણવત્તા ધોરણો દ્વારા સમર્થિત છે. બેંગલુરુમાં હર્બલાઇફના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે વિકસાવવામાં આવેલા આ ઉત્પાદનો, ભારતમાં બનાવવામાં આવ્યા છે, ભારત માટે, અને ખાસ કરીને ભારતીય ત્વચા પ્રકારોને અનુરૂપ બનાવવામાં આવ્યા છે.

ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, “મને વ્રિતીલાઇફ પરિવારમાં તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાવાનો આનંદ છે. એક એથલેટ તરીકે, સતત ફરતા રહેવા દરમિયાન મારી ત્વચાની સંભાળ રાખવી જરૂરી છે, અને વ્રિતીલાઇફના આયુર્વેદિક-આધારિત ફોર્મ્યુલેશન ખરેખર મારી જીવનશૈલી સાથે સુસંગત છે. હું સુખાકારીને પ્રોત્સાહન આપવામાં માનું છું, અને વ્રિતીલાઇફ તે નૈતિકતાને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે.”

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બાત્રાએ જણાવ્યું હતું કે, “રમત અને જીવનમાં, શિસ્ત અને સ્વ-સંભાળ એકસાથે ચાલે છે. વ્રિતીલાઇફ સાથે, મેં એવી ત્વચા સંભાળ શોધી છે જે પરંપરામાં ઊંડે સુધી મૂળ ધરાવે છે, અને છતાં તાજગીભરી રીતે આધુનિક છે. હું બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવા અને આ રાષ્ટ્રની વિવિધ સુંદરતા પરંપરાઓની ઉજવણી કરવામાં ખુશ છું.”

છેલ્લા 25 વર્ષથી, હર્બલાઇફ ઇન્ડિયાએ દેશભરમાં આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેની શરૂઆતથી, બ્રાન્ડ તેના વૈજ્ઞાનિક રીતે સમર્થિત પોષણ અને વ્યક્તિગત સંભાળ ઉત્પાદનો દ્વારા વ્યક્તિઓને સક્રિય જીવન જીવવા માટે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. વર્ષોથી, હર્બલાઇફ એક વિશ્વસનીય નામ બની ગયું છે, હજારો સ્વતંત્ર વિતરકોને ટેકો આપે છે અને ફિટનેસ અને સર્વાંગી સુખાકારી દ્વારા સંચાલિત સમુદાયને પ્રોત્સાહન આપે છે. ગુણવત્તા, નવીનતા અને ગ્રાહક-કેન્દ્રિત ઉકેલો પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને, હર્બલાઇફ ભારતમાં સુખાકારી ઉદ્યોગમાં અગ્રણી તરીકે તેના વારસાને મજબૂત કરીને, સકારાત્મક જીવનશૈલીમાં પરિવર્તન લાવવાનું ચાલુ રાખે છે.

Related posts

કાઈનેટિક ગ્રીન દ્વારા 2-વ્હીલરના બિઝનેસના પ્રેસિડેન્ટ તરીકે જયપ્રદીપ વાસુદેવનની નિયુક્તિ સાથે આગામી તબક્કાની વૃદ્ધિ પ્રેરિત કરવા માટે આગેવાની મજબૂત બનાવવામાં આવી

amdavadlive_editor

અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક ૨૦૨૫: પરંપરા, ઇનોવેશન અને ગ્લેમરનો સંગમ

amdavadlive_editor

બેરોજગારીથી મળશે છૂટકારો 4.10 કરોડ યુવાઓને મળશે લાભ

amdavadlive_editor

Leave a Comment