36 C
Gujarat
May 31, 2025
Amdavad Live
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતી ફિલ્મ કર્મા વોલેટ 18 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે

અમદાવાદ: જાણીતા ફિલ્મ સર્જક વિપુલ શર્મા દ્વારા લિખિત અને દિગ્દર્શિત એક રસપ્રદ નવી ગુજરાતી ફિલ્મ કર્મા વોલેટ 18 ઓક્ટોબરના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. આર.શાહ એન્ટરટેઇનમેન્ટના સહયોગથી સ્કોર વિન દ્વારા નિર્મિત આ ફિલ્મ પોતાની આકર્ષક સ્ટોરી લાઇન અને ઉત્કૃષ્ટ અભિનયથી દર્શકોને મંત્ર મુગ્ધ કરવાનું વચન આપે છે.

આ ફિલ્મ દેવરાજના જીવનને અનુસરે છે, જે એક ક્રાફ્ટી અને પ્રભાવશાળી ઉદ્યોગપતિ છે, જે તેની રિસોર્સફુલનેસ અને ઉચ્ચ સ્થાનો પરના કનેક્શનો માટે જાણીતો છે.તે તેના ધોરણોથી નીચે માને છે તેવા લોકો પ્રત્યેની તેની તિરસ્કારને પડકારવામાં આવે છે જ્યારે એક અણધાર્યા વળાંક તેને તેના વૈભવી જીવનને પાછળ છોડીને નાના ફાર્મહાઉસમાં આશ્રય લેવા દબાણ કરે છે. જ્યારે તે આ નાટકીય પરિવર્તનનો સામનો કરે છે, ત્યારે દેવરાજની વાર્તા તેણે ક્યારેય કલ્પના કરી ન હોય તેવી રીતે બહાર આવે છે.

બહુમુખી પ્રતિભા ધરાવતા તુષાર સાધુ, શ્રેયા દવે અને જય પંડયાને દર્શાવતા કર્મા વોલેટમાં વિચાર પ્રેરક વિષયો સાથે તીવ્ર નાટકનું મિશ્રણ કરવામાં આવ્યું છે, જેમાં પ્રારબ્ધ અને દૈવી હસ્તક્ષેપના વિચારની શોધ કરવામાં આવી છે.

આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નિર્માતા અને અભિનેતા જય પંડ્યાએ જણાવ્યું હતું કે, “કર્મા વોલેટ એ માત્ર એક સફળ માણસના જીવનને ઊંધું ચત્તુ થઈ જવાની વાર્તા નથી, પરંતુ એક ક્ષણમાં જીવન કેવી રીતે બદલાઈ શકે છે તેનું પ્રતિબિંબ છે. આપણે ભલે ગમે તેટલા શક્તિ શાળી હોઈએ, પણ જીવનના વળાંક વિશે કોઈ કશુંજ કરી શકે તેમ નથી. હું એક એવા પ્રોજેક્ટનો ભાગ બનીને રોમાંચિત છું જે આટલો ઊંડો સંદેશ આપે છે.”

ગુજરાતી સિનેમામાં તેમના યોગદાન માટે જાણીતા લેખક અને દિગ્દર્શક વિપુલ શર્માએ જણાવ્યું હતું કે, “કર્મા વોલેટ ગૌરવ અને પતનના માનવીય અનુભવ વિશે વાત કરે છે. વાર્તા કર્મા અને ભાગ્યના સાર્વત્રિક થીમ્સ સાથે સંબંધિત છે. મને વિશ્વાસ છે કે પ્રેક્ષકો વ્યક્તિગત સ્તરે પાત્રની સફર સાથે જોડાઈ શકશે.”

કર્મા વોલેટ  પહેલેથી જ તરંગો સર્જી રહ્યું છે. અમેરિકાના એરિઝોનામાં યોજાયેલા ગ્રાન્ડ કેન્યોન ફિલ્મ ફેસ્ટિવલ અને ભારતમાં ક્રાઉન વૂડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ વિજેતા બની હતી. તે તુર્કીમાં ગોલ્ડન બ્રિજ ઇસ્તંબુલ ફિલ્મ ફેસ્ટિવલ અને ભારતમાં કારવાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ માટેની સત્તાવાર પસંદગી હતી. તે તુર્કીમાં અનાતોલિયા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફાઇનલિસ્ટ પણ હતી અને ગ્રીસમાં એથેન્સ ઇન્ટરનેશનલ આર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનો સન્માન જનક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જય પંડ્યાની આગેવાની હેઠળની સ્કોર વિન, ગુજરાતી સિનેમામાં એક ઉભરતી શક્તિ છે, જે સ્ક્રીન પર તાજી અને અર્થપૂર્ણ કન્ટેન્ટ લાવવા માટે જાણીતી છે. પ્રોડક્શન હાઉસે યુ.એસ. સ્થિત આર. શાહ એન્ટરટેઈનમેન્ટ સાથે ભાગીદારી કરી છે, જે રાકેશ શાહની માલિકીની છે, જેઓ પોતાની માતૃભાષામાં ગુજરાતી ફિલ્મોને ટેકો આપવા માટે ઉત્સાહી છે. કર્મા વોલેટ આ આશાસ્પદ સહયોગની શરૂઆત દર્શાવે છે.

18 ઓક્ટોબરથી થિયેટરોમાં કર્મા વૉલેટ જોવાની તક ચૂકશો નહીં.

Related posts

સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા, બેન્ગલોર દ્વારા કર્માટકની પ્રથમ ફક્ત મહિલાઓની એન્જિનિયરિંગ કોલેજમાં સેમસંગ ઈનોવેશન કેમ્પસનું ઉદઘાટન

amdavadlive_editor

ભારત-ભારતી અમદાવાદ દ્વારા વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક રચનાઓની પ્રસ્તુતિનો કાર્યક્રમ યોજાયો

amdavadlive_editor

Amazon.inની હોમ શોપિંગ સ્પ્રીની સાથે તમારા ઘરને શિયાળાનું નવું સ્વરૂપ આપો, 5 ડિસેમ્બર, 2024 સુધી લાઇવ

amdavadlive_editor

Leave a Comment