26.5 C
Gujarat
August 3, 2026
Amdavad Live
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગૌરવ અરોરાનો દર્શકથી વિલન સુધીનો પ્રવાસઃ સોની લાઈવ પર તનાવ સીઝન-2માં સપનાની ભૂમિકા મળી

અત્રે એવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી કે તમે પોતે તમારા ભાગ્યના ઘડવૈયા છો અને બહુપ્રતિક્ષિત તનાવ-2નું મુખ્ય પાત્ર ગૌરવ અરોરાએ આ વાતને સિદ્ધ કરી છે. ગૌરવનો આ મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે પ્રવાસ તેની પ્રતિભાનો દાખલો હોવા સાથે તેના વિશ્વાસની શક્તિ પણ છે. સમીક્ષકો દ્વારા વખાણમાં આવેલી ઓરિજિનલ ઈઝરાયલી સિરીઝ ફૌદા અને તેની રોચક વાર્તા તનાવ સીઝન-1માં પરિવર્તિત થઈ તેન ઘનતા અને ઊર્જા તેની ભીતર પ્રગટી હતી. દર્શક તરીકે તનાવ-1 જોઈને તે મંત્રમુગ્ધ થઈ ગયો હતો. તે તનાવની દુનિયાનો જાણે હિસ્સો બની ગયો હતો. જોકે આ લગાવ અને ઊંડું જોડાણ આખરે તેને વિધિસર ભારતીય રિમેક તનાવની સીઝન-2માં તેને મુખ્ય પાત્ર સુધી દોરી જશે તેવું સપનામાં પણ તેણે વિચાર્યું નહોતું.

“તનાવની પ્રથમ સીઝન અને ઓરિજિનલ સિરીઝ ફૌદા જોઈ ત્યારે હું પહેલી ફ્રેમમાં જ તેની તરફ એકદમ દોરવાઈ ગયો હતો. આ વાર્તાઓ, પાત્રો અને વાર્તાની સાતત્યતાભરી ગતિમાં કાંઈક લોહચુંબક છે. હું આ સિરીઝ જોતો હતો ત્યારે જાણે તેનો હિસ્સો બની ગયો હોઉં તેવી લાગણી થતી હતી. હું આવા શોમાં ભૂમિકા મળવી જોઈએ અને આવી રોચક અને સઘન સિરીઝનો હિસ્સો બનવા મળવું જોઈએ એવું ધારતો હતો. હવે તેના એડપ્ટેશનનો હિસ્સો બનવાની ખુશીનો કોઈ પાર નથી,” એમ અરોરા કહે છે. તેની લગની અને વિઝ્યુઅલાઈઝેશન વાસ્તવિકતમાં કઈ રીતે ફેરવાયાં તે વિશે એ કહે છે. તે મીર સબનો પત્ર ફરીદ ઉર્ફે અલ-દમિશ્ક બન્યો છે, જે પાત્ર કોમ્પ્લેક્સ સાથે રોચક પણ છે.

એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત તનાવ ઈઝરાયલની ફૌદાની વિધિસર રિમેક છે. અવી ઈસાચેરોફ અને લાયોર રાઝ દ્વારા નિર્મિત, યેસ સ્ટુડિયોઝ ગ્વારા વિતરીત આ શોનું દિગ્દર્શન એવોર્ડ વિજેતા સુધીર મિશ્રા અને ઈ. નિવાસે કર્યું છે. શોમાં માનવ વીજ, ગૌરવ અરોરા, અરબાઝ ખાન, સત્યદીપ મિશ્રા, રજત કપૂર, શશાંક અરોરા, કબીર બેદી, સાહિબા બાલી, એકતા કૌલ, સોની રાઝદાન અને સુખમણી સાદના છે.

જરૂર જુઓ સોની લાઈવ પર 6 સપ્ટેમ્બરથી તનાવ-2, આ વખતે વેર અંગત હશે.

Related posts

WhatsApp દ્વારા ભારતમાં ત્રીજી વાર્ષિક બિઝનેસ સંમિટનું આયોજન; બિઝનેસીસને ગ્રાહકો સાથે સામેલ થવા અને તેમની કામગીરી 24/7 ચલાવવામાં મદદ કરવા માટ મેટા બિઝનેસ એજન્ટની ઘોષણા કરી

amdavadlive_editor

બીએનઆઇ પ્રોમેથિયસે તેના પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવની ચોથી આવૃત્તિનું સફળ આયોજન કર્યું

amdavadlive_editor

LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડે અર્જૂન પુરસ્કાર વિજેતા વન્તિકા અગ્રવાલને બ્રાન્ડ એમ્બેસડર બનાવવાની જાહેરાત કરી

amdavadlive_editor

Leave a Comment