29.2 C
Gujarat
March 18, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નૂતનવર્ષની સનાતનયાત્રા રૂપે રામકથા સાથે શ્રી મોરારિબાપુ દ્વારા શનિવારથી ‘રામયાત્રા’

અયોધ્યાથી શ્રીલંકા સુધીના ભગવાન શ્રી રામની યાત્રાના સ્થાનોને સાંકળતો રામકથા ગાન સાથેનો દિવ્ય ઉપક્રમ

ગુજરાત, અમદાવાદ | ૧૮મી ઓક્ટોબર ૨૦૨૫: અયોધ્યાથી શ્રીલંકા સુધીના ભગવાન શ્રી રામની યાત્રાના સ્થાનોને સાંકળતો રામકથા ગાન સાથેનો દિવ્ય ઉપક્રમ શ્રી મોરારિબાપુ દ્વારા યોજાનાર છે. નૂતનવર્ષની સનાતનયાત્રા રૂપે રામકથા સાથે આગામી શનિવારથી આ ‘રામયાત્રા’ પ્રારંભ થશે.

નૂતનવર્ષની સનાતનયાત્રા રૂપે રામકથા સાથે શ્રી મોરારિબાપુ દ્વારા શનિવાર તા.૨૫થી ઐતિહાસિક ‘રામયાત્રા’ પ્રારંભ થશે. આ યાત્રા રેલ અને હવાઈ માર્ગ દ્વારા જોડાયેલ હોઈ તે મુજબ ભાવિક શ્રોતાઓ ક્થા લાભ લેશે.

અયોધ્યાથી શ્રીલંકા સુધીના ભગવાન શ્રી રામની યાત્રાના સ્થાનોને ક્રમશઃ સાંકળતો રામકથા ગાન સાથેનો દિવ્ય ઉપક્રમ શ્રી મોરારિબાપુ દ્વારા યોજાનાર છે. આ ‘રામયાત્રા’ ઉપક્રમ વિગત મુજબ શનિવાર તા.૨૫થી મંગળવાર તા.૪ દરમિયાન વિવિધ સ્થાનો પર કથાગાન થશે. શનિવાર તા.૨૫ અત્રિ મુનિ આશ્રમ, ચિત્રકુટ, રવિવાર તા.૨૬ અગસ્ત્ય મુનિ આશ્રમ, સતના, સોમવાર તા.૨૭ પંચવટી, મંગળવાર તા.૨૮ સબરી આશ્રમ, સુરિબાના, બુધવાર તા.૨૯ ઋષિમુખ પર્વત, હમ્પી, ગુરુવાર તા.૩૦ પ્રવર્ષણ પર્વત, શનિવાર તા.૧ રામેશ્વરમ અને ત્યાંથી સોમવાર તા.૩ કોલંબો શ્રીલંકા થઈને મંગળવાર તા.૪ અયોધ્યા રામકથા પહોંચશે.

Related posts

મહાઈ ટેક્નોલોજી લિમિટેડ વૃદ્ધિ અને નાણાકીય મજબૂતી માટે મહત્ત્વાકાંક્ષી રાઈટ્સ ઇશ્યૂ લાવી

amdavadlive_editor

પૂજ્ય મોરારી બાપુએ ચિત્રકૂટથી રામભક્તોને સંબોધ્યા, “રામયાત્રા”નો શુભારંભ કર્યો.

amdavadlive_editor

GE એરોસ્પેસ ફાઉન્ડેશને નેકસ્ટ એન્જિનિયર્સના બેંગલુરુ, ભારતમાં વિસ્તરણની જાહેરાત કરી

amdavadlive_editor

Leave a Comment