30.8 C
Gujarat
August 3, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કુંભ ક્ષેત્રમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ગુજરાત, અમદાવાદ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫:પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસ પહેલાં છતીસગઢનાં ૧૦ લોકો કુંભમાં સ્નાન કરવા નીકળ્યા હતા ત્યારે તેમની બોલેરો જીપ બસ સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ૧૦ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. છત્તીસગઢના કોરબા જીલ્લાના ૧૦ લોકો કુંભમાં સ્નાન કરવા નીકળ્યા હતા ત્યારે મિરઝાપુર પ્રયાગરાજ હાઇવે પર ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સામેથી આવતી બસ સાથે બોલેરો ગાડી અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં બોલેરોમાં સવાર તમામ ૧૦ યાત્રીકોનાં કરુણ મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને છતીસગઢ મુખ્યમંત્રી રાહત ફંડ માં ૧,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કોટેશ્વર મહાદેવ ખાતે ચાલી રહેલી રામકથાના મનોરથી શ્રી પ્રવીણભાઈ તન્ના દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલના ત્રીજા રાઉન્ડના પ્રારંભ સાથે જ મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ દર્શકોને મોહિત કરવા તૈયાર

amdavadlive_editor

ગુજરાત બિઝનેસ ગ્લોરી એવોર્ડ્સ 2024: વિવિધ ક્ષેત્રોમાં વ્યવસાયિક પ્રતિભાઓનું સન્માન

amdavadlive_editor

HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા ઓમ 10.0 મેડિકલ કોન્ફરન્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી, જે ઓન્કો-રિકન્સ્ટ્રક્શન સર્જરીના ભવિષ્યને આગળ ધપાવશે

amdavadlive_editor

Leave a Comment