24.9 C
Gujarat
March 13, 2026
Amdavad Live
આરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

પોષણ માસ નિમિતે બોરસદના ઝરોલા પી.એચ.સી ખાતે એનેમિયા કેમ્પ યોજાયો

આણંદ 25 સપ્ટેમ્બર 2024: પોષણ માસ ૨૦૨૪ની ઉજવણીનાં ભાગરૂપે આઈ.સી.ડી.એસ બોરસદ ઘટક -૨ અને RBSK  ટીમ સાથે સંકલન કરીને બાળવિકાસ યોજના અધિકારીશ્રી ઘટક ૨ ના  માલતીબેન  પઢિયારનાં માર્ગદર્શન હેઠળ ઝારોલા પી.એચ.સી ખાતે એનીમિયા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કેમ્પમાં શાળાએ  જતી ૪૨ જેટલી કિશોરીઓનું એચ.બી ટેસ્ટ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત  સીડીપીઓશ્રી માલતીબેન એમ પઢિયાર, મેડીકલ ઓફિસરશ્રી, સુપરવાઈઝરશ્રી, પી.એસ.સી. આઈ.સી.ડી.એસ ઘટક ૨, કાર્યકર બહેનો તેમજ કિશોરીઓશ્રી હાજરી આપી હતી.

 આ કેમ્પમાં આરોગ્ય વિષયક પોષણ, એનેમિયા અને બાળલગ્ન વિષે સમજ તેમજ વધુ અભ્યાસ અર્થે આઈ.ટી.આઈમાં પુનઃપ્રવેશ કરવા અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ પૂર્ણાશક્તિનાં પેકેટ વિશે સમજણ આપી અને તેમાંથી બનતી વિવધ વાનગીઓનું નિદર્શન પણ કરવામાં આવેલ હતું.

-૦-૦-૦-

Related posts

કરણ જોહરની ‘ત્યાની જ્વેલરી’ના નવા કેમ્પેઈનમાં શેફાલી શાહ બ્રાન્ડ એમ્બેસેડર બની

amdavadlive_editor

તણાવ 2 વોલ્યુમ 2 6ઠ્ઠી ડિસેમ્બરથી સ્ટ્રીમ થશેઃ હમણાં રોમાંચક ટ્રેલર જુઓ!

amdavadlive_editor

જે વાણીની પાછળ અર્થ દોડે એ સાધુવાણી-ઋષિવાણી કહેવાય અને અર્થની પાછળ જે વાણી દોડે એ અસાધુ વાણી છે.

amdavadlive_editor

Leave a Comment