31.4 C
Gujarat
April 16, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મૂર્તિ વિસર્જન દરમિયાન માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ગત દિવસોમાં પ્રાપ્ત માહિતી અનુસાર ઠેરઠેર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ પાટણ નજીક સરસ્વતી નદીના પ્રવાહમાં ચાર લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા હતા. એક અન્ય ઘટનામાં ગઈકાલે ગાંધીનગર ખાતે દેહગામમાં મેશ્વો નદીના પ્રવાહમાં ૧૦ લોકો ડૂબી ગયા હતા જે પૈકી ૮ના મૃતદેહો મેળવવામાં આવ્યા છે અને બેની શોધખોળ કરવામાં આવી રહી છે. 

મૂર્તિ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જતાં કુલ મળીને ૧૪ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૧૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કલોલમાં રહેતા રામ કથાના શ્રોતાઓ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડનો આઇપીઓ સોમવાર, 25 નવેમ્બરે ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 320-335

amdavadlive_editor

થમ્સ અપની ઓલિમ્પીક કેમ્પેન ‘thumbs up’ સંકેતની શક્તિનું નિરૂપણ કરે છે

amdavadlive_editor

વેદાંગ રૈનાને દર્શાવતા, વ્યસ્ત દિવસ પછી સ્પ્રાઈટ ‘ચિલ એટ હોમ’ માટે એક વિચિત્ર ટેક રજૂ કરે છે

amdavadlive_editor

Leave a Comment