July 28, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના પાઠવી

ઈશ્વરિયા | ૨૮ જુલાઈ ૨૦૨૬ | સનાતન પર્વોમાં મહિમાવંત ગુરુપૂર્ણિમા પ્રસંગે શ્રી મોરારિબાપુએ વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરી છે.

કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના પાઠવતા શ્રી મોરારિબાપુએ અન્ય કશું ન કહેતાં સ્મિત અને પ્રસન્નતા સાથે સૌને શુભકામના માટે ભાવ વ્યક્ત કર્યો છે.

સનાતન પર્વોમાં મહિમાવંત ગુરુપૂર્ણિમા પ્રસંગે શ્રી મોરારિબાપુએ જગતભરના બુધ્ધપુરુષોના સ્મરણ સાથે સૌ વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના જણાવી. આ પ્રસંગે પોતે તલગાજરડામાં કોઈ વિશેષ આયોજન કરતાં નથી, તેઓ ગુરુ ચરણ પાદુકા પૂજન સાદગી અને પોતાની રીતે કરી લેતાં હોવાનું પણ ઉમેર્યું છે.

== સમાપ્ત ==

Related posts

આદિત્ય ગઢવીનું “લટકે હાલો” સોંગનું પ્રીમિયર 50 ફેન્સની હાજરીમાં કરાયું: સોંગ ડિજિટલ જીવનમાંથી રિયલ લાઈફ તરફ વળવાની પ્રેરણા

amdavadlive_editor

આદિશ્વર ઓટો રાઇડ દ્વારા તેની બેનેલી અને ઝોન્ટેસ સુપરબાઇક્સની ગ્લોબલ રેન્જ પર વિશેષ ઑફર્સની જાહેરાત

amdavadlive_editor

યુટીટી સીઝન 6 માં પાંચ કોચ પ્રથમવાર ડેબ્યૂ કરશે કારણ કે ટીમોએ પ્રથમ વખત તેમના પોતાના કોચિંગ સ્ટાફની પસંદગી કરી છે.

amdavadlive_editor

Leave a Comment