27.6 C
Gujarat
August 20, 2026
Amdavad Live
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

રણવીર સિંહની સિક્વલ ફિલ્મ ‘પ્રલય’મા જોવા મળશે દુનિયાના અંતની કહાની, શૂટિંગ થઈ શુરુ

અમદાવાદ, ગુજરાત | ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ | રણવીર સિંહની નવી ફિલ્મ ‘પ્રલય’નું શૂટિંગ આજથી મુંબઈમાં શરૂ થઈ ગયું છે. આ ફિલ્મનું નિર્માણ અનન્યા બિરલાના બિરલા સ્ટુડિયોઝ, ટ્રુ સ્ટોરી ફિલ્મ્સ અને માં કસમ ફિલ્મ્સ કરી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન જય મહેતા કરી રહ્યા છે.

‘પ્રલય’ એક એવી એક્શન થ્રિલર ફિલ્મ છે, જેમાં દુનિયાના અંતનો ખતરો બતાવવામાં આવશે. ફિલ્મમાં માનવજાત પોતાના અસ્તિત્વને બચાવવા માટે કેવી રીતે લડે છે, તેની કહાની જોવા મળશે.

રણવીર સિંહ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે અને ફિલ્મના નિર્માતા પણ છે. ‘ધુરંધર’ અને ‘ધુરંધર – ધ રિવેન્જ’ બાદ ‘પ્રલય’ રણવીરની આગામી મોટી ફિલ્મ છે. આ ફિલ્મમાં રણવીર એક એવી દુનિયામાં જોવા મળશે, જે ભારતીય સિનેમામાં અત્યાર સુધી અલગ રીતે રજૂ કરવામાં આવી નથી.

અનન્યા બિરલા માટે ‘પ્રલય’ બિરલા સ્ટુડિયોઝની ખાસ ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા તેઓ સિનેમામાં કંઈક નવું રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટ્રુ સ્ટોરી ફિલ્મ્સ માટે પણ ‘પ્રલય’ એક અલગ પ્રકારની કહાની રજૂ કરવાનો પ્રયાસ છે. ફિલ્મમાં ‘લોકા’ ફેમ અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય નવી પેઢીના ઘણા પ્રતિભાશાળી કલાકારો પણ ફિલ્મનો ભાગ છે.

ફિલ્મનું દિગ્દર્શન જય મહેતા કરી રહ્યા છે. તેમણે હંસલ મહેતા સાથે મળીને ‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’નું દિગ્દર્શન કર્યું હતું. ‘લૂટેરે’ માટે પણ તેમને ઘણી પ્રશંસા મળી હતી.

‘પ્રલય’નું શૂટિંગ મુંબઈ અને તેની આસપાસની વાસ્તવિક જગ્યાઓ પર કરવામાં આવી રહ્યું છે. મેકર્સ ફિલ્મને શક્ય તેટલી વાસ્તવિક રાખવા માંગે છે. ફિલ્મમાં મોટા એક્શન અને ભવ્ય દૃશ્યોની સાથે માનવીય લાગણીઓ પર પણ ધ્યાન આપવામાં આવશે.

આ ફિલ્મની તૈયારી માટે ઘણા મહિનાઓ સુધી પ્રી-પ્રોડક્શનનું કામ કરવામાં આવ્યું છે. હવે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને તેને મોટા પાયે બનાવવામાં આવી રહી છે.

== સમાપ્ત ==

Related posts

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ડેબ્યૂટન્ટ કોલકાતા થંડરબ્લેડ્સ સ્ટેન્લીઝ ચેન્નાઈ લાયન્સ સામે, જ્યારે વેસ્ટર્ન ડર્બીમાં યુ મુમ્બાનો સામનો અમદાવાદ એસજી પાઈપર્સથી થશે

amdavadlive_editor

IRAADA વોકાથોન: ડ્રગ-મુક્ત ભવિષ્ય માટે યુવા એકતા

amdavadlive_editor

ગાંધીનગર સેક્ટર-25 માં આવેલ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની રાઠોડ આરાધનાબા ભરતસિંહ 611/650 માર્ક્સ મેળવી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.

amdavadlive_editor

Leave a Comment