30.8 C
Gujarat
May 20, 2025
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કેરળના વાયનાડ ખાતે ભૂસ્ખલન થતાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

ગુજરાત, અમદાવાદ 31 જુલાઈ 2024: પ્રાપ્ત માહિતી અનુસાર કેરળના વાયનાડ ખાતે સખત વરસાદ નોંધાયો હતો અને જેનાં કારણે વાયનાડના ચાર ગામોમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં મુંડડકાલા, ચૂરામાલા, અટટમાલા અને નુલપુઝા ગામોનો સમાવેશ થાય છે.  પ્રાપ્ત વિગતો અનુસાર આ અત્યંત દુઃખદ ઘટનામાં ૯૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂજ્ય મોરારીબાપુની રામકથા યુનો ન્યુયોર્કમાં ચાલી રહી છે. એમને આ ઘટનાની માહિતી મળતાં તેઓએ સંવેદના વ્યક્ત કરી છે અને જેઓ આ કરુણાંતિકામાં માર્યા ગયા છે તેમના માટે પંદર હજાર રૂપિયા લેખે કુલ મળીને રુપિયા ૧૩,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. હજુ આ ઘટના તાજી છે અને સતત વરસી રહેલા વરસાદને કારણે રાહતકાર્ય મુશ્કેલ છે. આ વચ્ચે મરણ જનાર વ્યક્તિઓની વિગતો મેળવવામાં આવશે અને સહાય અર્પણ કરવામાં આવશે. જો પ્રતિકૂળતા જણાય તો આ રકમ સ્થાનિક એનજીઓ ને કે મુખ્યમંત્રી રાહત ફંડમાં મોકલવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.  મહુવા તાલુકાનાં કુંભણ ગામે પ્રાથમિક શાળાના એક વિધાર્થીનું તળાવમાં લપસી જતાં મોત નિપજયું હતું તેના પરિવારને પણ રુપિયા પંદર હજાર ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

Related posts

ડેનિશ પાવર લિમિટેડનો આઈપીઓ 22 ઓક્ટોબરથી, પ્રાઇસ બેન્ડ 360 રૂપિયાથી 380 રૂપિયા પ્રતિ શેર

amdavadlive_editor

અલ્ટ્રાકેબ (ઇન્ડિયા) લિમિટેડ કંપનીનો રૂ. 4981 લાખનો રાઇટ્સ ઇશ્યૂ 28 જાન્યુઆરી, 2025 ના દિવસે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો

amdavadlive_editor

બ્રિટાનિયા અને બેલ ગ્રૂપે ભારતમાં સ્થાનિક ચીઝ ઉત્પાદનની જાહેરાત કરી, બ્રિટાનિયા ધ લાફિંગ કાઉનું ઉત્પાદન કરવા અને સ્થાનિક દૂધ ખેડૂતોને સશક્ત બનાાવવા માટે વ્યૂહાત્મક ભાગીદારીને ઊંડી કરી

amdavadlive_editor

Leave a Comment