33.2 C
Gujarat
September 20, 2024
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કેરળના વાયનાડ ખાતે ભૂસ્ખલન થતાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

ગુજરાત, અમદાવાદ 31 જુલાઈ 2024: પ્રાપ્ત માહિતી અનુસાર કેરળના વાયનાડ ખાતે સખત વરસાદ નોંધાયો હતો અને જેનાં કારણે વાયનાડના ચાર ગામોમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં મુંડડકાલા, ચૂરામાલા, અટટમાલા અને નુલપુઝા ગામોનો સમાવેશ થાય છે.  પ્રાપ્ત વિગતો અનુસાર આ અત્યંત દુઃખદ ઘટનામાં ૯૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂજ્ય મોરારીબાપુની રામકથા યુનો ન્યુયોર્કમાં ચાલી રહી છે. એમને આ ઘટનાની માહિતી મળતાં તેઓએ સંવેદના વ્યક્ત કરી છે અને જેઓ આ કરુણાંતિકામાં માર્યા ગયા છે તેમના માટે પંદર હજાર રૂપિયા લેખે કુલ મળીને રુપિયા ૧૩,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. હજુ આ ઘટના તાજી છે અને સતત વરસી રહેલા વરસાદને કારણે રાહતકાર્ય મુશ્કેલ છે. આ વચ્ચે મરણ જનાર વ્યક્તિઓની વિગતો મેળવવામાં આવશે અને સહાય અર્પણ કરવામાં આવશે. જો પ્રતિકૂળતા જણાય તો આ રકમ સ્થાનિક એનજીઓ ને કે મુખ્યમંત્રી રાહત ફંડમાં મોકલવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.  મહુવા તાલુકાનાં કુંભણ ગામે પ્રાથમિક શાળાના એક વિધાર્થીનું તળાવમાં લપસી જતાં મોત નિપજયું હતું તેના પરિવારને પણ રુપિયા પંદર હજાર ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

Related posts

HONOR એ ભારતમાં HONOR 200 સિરીઝ લોન્ચ કરી, જે AI-સંચાલિત સ્ટુડિયો-લેવલ પોટ્રેટ ફોટોગ્રાફી સાથે મોબાઈલ ઈમેજિંગને ફરીથી વ્યાખ્યાયિત કરે છે

amdavadlive_editor

રમીટાઇમ અને ક્લિયરટેક્સ ખામીરહિત આઇ.ટી.આર. ફાઇલિંગ અને રાષ્ટ્ર નિર્માણ માટે રમીના ખેલાડીઓને સશક્ત બનાવવા હાથ મિલાવ્યા

amdavadlive_editor

સેમસંગ ગેલેક્સી AIની ભાવિ પેઢી રજૂ કરે છેઃ 10 જુલાઈએ નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન્સના લોન્ચ કરશે

amdavadlive_editor

Leave a Comment