32.9 C
Gujarat
May 19, 2025
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અકસ્માતમાં માર્યા ગયેલા ગુજરાત પોલીસના જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

।। રામ ।।

ગુજરાત, અમદાવાદ 29 માર્ચ 2025: પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસના જવાનોને હરિયાણા ખાતે અકસ્માત નડયો હતો અને તેમાં ત્રણ જવાનોના કરુણ મોત નિપજયા છે. આ ઘટનાની વિગત એવી છે કે બે દિવસ પહેલા એક ગુનાની તપાસ કરવા માટે અમદાવાદથી ગુજરાત પોલીસના અધિકારીઓ પંજાબ જઈ રહ્યા હતા અને તે દરમિયાન હરિયાણાના સિરસા નજીક એક ટ્રક સાથે પોલીસનું વાહન ધડાકાભેર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ કર્મચારીઓના મોત નિપજયા છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા આ કર્મચારીઓ ગમખ્વાર અકસ્માતમાં માર્યા ગયા છે.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. અમદાવાદ સ્થિત રામકથાના શ્રોતા શ્રી જીગરભાઈ પટેલ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

દુબઈમાંથી તમારા પ્રિયજનો માટે દિવાળીની ટોપ 10 ગિફ્ટ્સ પસંદ કરો

amdavadlive_editor

સાયકલ પ્યોર અગરબત્તીએ દિવાળી માટે આકર્ષક નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી

amdavadlive_editor

હાયર ઈન્ડિયાએ કિનોચી ડાર્ક એડિશન એર કંડિશનર રજૂ કર્યું, ગ્રાહકોને એલિગન્સ અને ઇનોવેશનનું પરફેક્ટ મિશ્રણ ઓફર કરે છે

amdavadlive_editor

Leave a Comment