29.1 C
Gujarat
July 8, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

કોટકે હિંમત અને પ્રતીતિની માગણી કરતાં સપનાઓને સાકાર કરવા માટે હૌસલા 2.0 રજૂ કર્યું

જો તમારી પાસે કોઈ ઘેલું સ્વપ્ન હોય તો તે સાકાર કરવામાં તમારી મદદ કરવા અમે હાજર છીએઃ કોટક

મુંબઈ | ૦૭ જુલાઈ ૨૦૨૬ | કોટક મહિન્દ્રા બેંકે હૌસલા 2.0 રજૂ કર્યું છે, જે તેના બ્રાન્ડ પ્લેટફોર્મનું બીજું પ્રકરણ છે, જે ગયા વર્ષે રજૂ કરાયેલા ‘હૌસલા હૈ તો હો જાયેગા’ની ફિલસુફી પર આધારિત છે.

કોટકે 2025માં ‘હૌસલા હૈ તો હો જાયેગા’ શરૂ કર્યું ત્યારે તે એક એવી માન્યતામાં મૂળ હતું જે આધુનિક ભારતની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તે આકાંક્ષા દેશની સૌથી શક્તિશાળી શક્તિઓમાંની એક બની ગઈ છે. વ્યવસાયો, શહેરો અને પેઢીઓમાં ભારતીયો આજે મોટાં સપનાં જોઈ રહ્યાં છે. ઉચ્ચ લક્ષ્ય રાખી રહ્યા છે અને એવી શક્યતાઓની કલ્પના કરી રહ્યા છે જે અગાઉની પેઢીઓએ કદાચ વિચારી ન હોય.

હૌસલા 2.0 સાથે કોટક તેના પહેલાથી જ સેવેલાં સપનાંઓને સાકાર કરવા માટે જરૂરી હિંમત અને પ્રતીતિ વિશે વાત કરે છે. આકાંક્ષાઓ પુષ્કળ હોય છે ત્યારે અર્થપૂર્ણ પ્રગતિ ઘણી વાર તેની પર કાર્ય કરવાની હિંમત પર આધાર રાખે છે. કોટકનો વિશ્વાસ છે કે લોકોને મોટાં સપનાંઓની નહીં, પણ હિંમત અને દ્રઢવિશ્વાસની જરૂર છે. આ અર્થમાં હૌસલા એ મહત્ત્વાકાંક્ષા અને કાર્ય વચ્ચેનો સેતુ છે.

હૌસલા 2.0 બ્રાન્ડ ફિલ્મો જોવા માટે અહીં ક્લિક કરો.

કોટક મહત્ત્વાકાંક્ષાને સમર્થન આપે છે. કોટક ખાતે અમે ઉદ્યોગ સાહસિક પસંદગીઓ અને વિકાસની આકાંક્ષાઓને મજબૂત બનાવવા માગીએ છીએ, જે મુશ્કેલ હોય છે જેમાં કંઈક અર્થપૂર્ણ બનાવવાની ક્ષમતા હોય છે,” એમ કોટક મહિન્દ્રા બેંકના બિઝનેસ બેંકિંગના પ્રમુખ અને ચીફ માર્કેટિંગ ઓફિસર રોહિત ભસીને જણાવ્યું હતું. “ભારતીયો તેમના સૌથી મોટા વિચારોને વાસ્તવિકતા બનતા જોવા માગે છે. ઘણી વાર રસ્તામાં જે અવરોધ આવે છે તે છે પગલાં લેતાં પહેલાં દેખાતો ખચકાટ. અમે લોકોને તે સેતુ પાર કરવામાં અને તે વિચારોને જીવંત બનાવતું પગલું ભરવામાં મદદ કરવા માગીએ છીએ. જો તમારી પાસે કોઈ ઘેલું સ્વપ્ન હોય તો અમે તમને તે સાકાર કરવામાં મદદ કરવા માટે હાજર છીએ.”

“આજે ભારતમાં મહત્ત્વાકાંક્ષા ભરપૂર પ્રમાણમાં છે. વિશ્વાસ જ મહત્ત્વાકાંક્ષાને કાર્યમાં રૂપાંતરિત કરે છે,” એમ કાર્ટવ્હીલ ક્રિએટિવ કન્સલ્ટન્સીના સીઈઓ રામકૃષ્ણ દેસીરાજુએ જણાવ્યું હતું. “લોકો ઘણી વાર જાણે છે કે તેઓ કયો રસ્તો અપનાવવા માગે છે, પરંતુ પસંદગીના તબક્કે ખચકાટ અનુભવે છે. હૌસલા 2.0 એ માનવ સત્ય અને માન્યતાની આસપાસ બન્યું છે કે જ્યારે વ્યક્તિઓ ખચકાટને માત આપે છે ત્યારે અર્થપૂર્ણ પ્રગતિ શરૂ થાય છે.”

ખાસ કરીને કોટક માને છે કે ભારતીયો વધુ ને વધુ મોટા પાયે નિર્માણ અને સર્જન કરવા માગે છે. પછી ભલે તે ભારતમાં હાલમાં આયાત કરેલી વસ્તુઓ બનાવીને અથવા એસેમ્બલ કરીને દેશની આત્મનિર્ભરતા તરફની સફરમાં યોગદાન આપીને અથવા બદલાતી વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાંથી ઊભરતી તકોનો લાભ લઈને.

== સમાપ્ત ==

Related posts

વસ્ત્રાપુર અગ્રવાલ સમાજ એ પહેલગામ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી- એકતા અને જાગૃતિનો સંદેશ

amdavadlive_editor

ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ જ્ઞાનાકાર કૌશલ્ય પર ભાર આપે છેઃ અમદાવાદના શિક્ષકો માટે ભાષા તાલીમ કાર્યક્રમનું આયોજન

amdavadlive_editor

ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ દ્વારા વડોદરાના વાસનામાં નવું આઉટલેટ શરૂ કરીને બેન્કિંગ નેટવર્ક વિસ્તારવામાં આવ્યું

amdavadlive_editor

Leave a Comment