33.5 C
Gujarat
March 15, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બજાજ જનરલ ઇન્શ્યોરન્સે ‘NRInsure’ લૉન્ચ કર્યું, જે એનઆરઆઇ માટે 35% પ્રીમિયમ ડિસ્કાઉન્ટ ઑફર કરે છે

પુણે | 11 ફેબ્રુઆરી 2026 — બજાજ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડ (અગાઉ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ તરીકે ઓળખાતી), જે ભારતના અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાંથી એક છે, આજે તેની ફ્લેગશિપ રિટેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ, માય હેલ્થ કેર પ્લાન (એમએચસીપી) ની એક નવી ઍડ-ઑન ઑફર NRInsure લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઇ) અને ભારતના વિદેશી નાગરિકો (ઓસીઆઇ) માટે ડિઝાઇન કરેલ, આ ઍડ-ઑન એમએચસીપી પ્લાનમાં બેઝ પૉલિસી પ્રીમિયમ પર 35% ની ડિસ્કાઉન્ટ પ્રદાન કરે છે.

NRInsure નો હેતુ વિદેશમાં રહેતા હોવા છતાં, ભારતમાં પોતાના માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ જાળવવાનું ચાલુ રાખવા માંગતા એનઆરઆઇ લોકોની લાંબા સમય સુધીની જરૂરિયાતને પૂર્ણ કરવાનો છે. નવી પૉલિસી ખરીદતી વખતે ઍડ-ઑન પસંદ કરી શકાય છે, જે પાત્ર ગ્રાહકોને તેમના એનઆરઆઇ/ઓસીઆઇ સ્થિતિની ઘોષણા અને નિર્ધારિત ડૉક્યૂમેન્ટ સબમિટ કર્યા પછી ડિસ્કાઉન્ટ મેળવવામાં સક્ષમ બનાવે છે.

માય હેલ્થ કેર પ્લાનની નવી પૉલિસી ખરીદનાર ગ્રાહકો માટે ઉપલબ્ધ, NRInsure એ એનઆરઆઇ અને ઓસીઆઇ લોકોને ઓછા પ્રીમિયમનો લાભ લેતી વખતે ભારતમાં તેમના હેલ્થ કવરની સાતત્યતા જાળવી રાખવાની સુવિધા આપે છે. બેઝ પૉલિસી હેઠળની તમામ વિશેષતાઓ, વેટિંગ પીરિયડ લાગુ રહે છે, જે કવરેજમાં સાતત્યતા સુનિશ્ચિત કરે છે.

લૉન્ચ વિશે જણાવતા, બજાજ જનરલ ઇન્શ્યોરન્સના ચીફ ટેક્નિકલ ઑફિસર – કોમર્શિયલ, શ્રી અમરનાથ સક્સેનાએ કહ્યું, “ઘણા એનઆરઆઇ માટે, ભારત ઘર જેવું છે, માત્ર ભાવનાત્મક રીતે જ નહીં, પરંતુ જ્યારે લાંબા ગાળાના હેલ્થ કેર પ્લાનિંગ અને ભારત પાછા ફરવાની તૈયારીની દ્રષ્ટિએ પણ. જો કે, વિદેશમાં રહેતા સમયે ઘરે હેલ્થ ઇન્શ્યોરન્સનો ઉપયોગ કરવો અને તેને મેનેજ કરવું ઘણીવાર જટિલ બની શકે છે. અમે NRInsure વડે, એનઆરઆઇ અને ઓસીઆઇ લોકોને પ્રીમિયમ ડિસ્કાઉન્ટ ઑફર કરીને આ જરૂરિયાતને પૂર્ણ કરવાની સાથે વિશ્વસનીય હેલ્થ પ્લાન હેઠળ કવરેજની સાતત્ય અને પરિચિતતા સુનિશ્ચિત કરી રહ્યા છીએ. આ ઍડ-ઑન ભારતમાં મજબૂત રીતે મૂળિયા ધરાવતા લોકોને ટેકો આપવાના અમારા પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.”

NRInsure ના લૉન્ચ સાથે, બજાજ જનરલ ઇન્શ્યોરન્સ ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો, વૈશ્વિક ગતિશીલતા અને વિદેશમાં રહેતા ભારતીયોમાં ભારતના હેલ્થકેર ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા રહેવાની વધતી જતી ઇચ્છાને પ્રતિબિંબિત કરવા માટે તેના હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટફોલિયોમાં સતત વધારો કરી રહ્યું છે.

===¤¤¤¤¤¤===

Related posts

હર્બલાઇફ ઇન્ડિયાએ સ્લિપ એન્હાન્સTM લોન્ચ કર્યુ

amdavadlive_editor

ભારતની ગ્રીન ઇકોનોમિ 2047 સુધીમાં 4.1 ટ્રિલીયન ડોલરનું રોકાણ આકર્ષી શકે છે, 48 મિલીયન FTE રોજગારીનું સર્જન કરી શકે છે: CEEW

amdavadlive_editor

ઉતરાખંડની બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

amdavadlive_editor

Leave a Comment