26 C
Gujarat
September 19, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતપર્યાવરણરાષ્ટ્રીયહેડલાઇન

આનંદમ પરિવાર દ્વારા જાસપુર ખાતેના આનંદમ ઓક્સિજન પાર્કમાં 2.11 લાખથી વધુ રોપાનું વાવેતર કરાયું

ગાંધીનગર, ગુજરાત | ૧૨મી જુલાઈ ૨૦૨૬ | કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ‘ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા’ અભિયાન અંતર્ગત આનંદમ પરિવારે જાસપુર સ્થિત આનંદમ ઓક્સિજન પાર્કમાં 2,11,000થી વધુ રોપાનું વાવેતર કર્યું છે.

આ વ્યાપક વૃક્ષારોપણ ઝુંબેશ ‘મિશન 5 મિલિયન ટ્રીઝ’ પહેલનો એક ભાગ છે. જેનું ઉદ્‌ઘાટન અમિત શાહે રવિવારે અમદાવાદમાં કર્યું હતું, જેનો હેતુ શહેરના હરિયાળા આવરણને વિસ્તારવાનો અને વ્યાપક વૃક્ષારોપણ મારફતે પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

આનંદમ ઓક્સિજન પાર્ક ખાતેના આ વાવેતરનો ઉદ્દેશ જૈવવિવિધતાને મજબૂત બનાવવાનો, હવાની ગુણવત્તા સુધારવાનો અને ભાવિ પેઢીઓ માટે ટકાઉ હરિયાળી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ઇકોલોજિકલ પુનઃસ્થાપન અને આબોહવા સ્થિતિસ્થાપકતાને સમર્થન આપવા આનંદમ પરિવાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક પહેલોમાંની આ એક છે.

આ પ્રસંગે વાત કરતાં આનંદમ પરિવારના સ્થાપક અનિલ પટેલે જણાવ્યું હતું કે, “વૃક્ષારોપણ એ પર્યાવરણનું રક્ષણ કરવાની અને ભાવિ પેઢીઓના જીવનની ગુણવત્તા સુધારવાની સૌથી સરળ અને અસરકારક રીતોમાંની એક છે. આનંદમ ઓક્સિજન પાર્ક ખાતે 2.11 લાખથી વધુ રોપાના વાવેતર થકી ‘ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા’ અભિયાનમાં યોગદાન આપતાં અમને આનંદ થાય છે. આવી પહેલો હરિયાળા આવરણને મજબૂત બનાવે છે અને પર્યાવરણ સંરક્ષણમાં લોકોની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરે છે.”

જાસપુર ખાતેનો ઓક્સિજન પાર્ક આનંદમ પરિવારના વ્યાપક પર્યાવરણીય કાર્યક્રમનો ભાગ છે, જેમાં લાપકામણ અને દાંતાલી ખાતે વૈજ્ઞાનિક ઢબે આયોજિત ઓક્સિજન પાર્કનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ સંયુક્ત રીતે જૈવવિવિધતા સુધારવા, ઇકોલોજિકલ સંતુલનને સમર્થન આપવા અને હરિયાળા જાહેર સ્થળોનું નિર્માણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે લાંબા ગાળે પર્યાવરણીય, સામાજિક અને શૈક્ષણિક લાભો પ્રદાન કરે છે.

મે મહિનામાં અમિત શાહે વડસર ખાતે પુનઃસ્થાપિત આનંદમ જેડવા તળાવ લોકોને સમર્પિત કર્યું હતું, જે આનંદમ પરિવાર દ્વારા ત્રણ વર્ષમાં રૂ. 18.71 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલો 21 એકરનો પર્યાવરણીય પુનઃસ્થાપન પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ જળ સંરક્ષણ, ઇકોલોજિકલ પુનઃસ્થાપન અને ટકાઉ શહેરી વિકાસ પર કેન્દ્રિત છે અને જળ, જમીન, હવા તથા જૈવવિવિધતાના સંરક્ષણ પ્રત્યેના સંસ્થાના સંકલિત અભિગમનો એક ભાગ છે.

== સમાપ્ત ==

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં સેમસંગ હેલ્થ માટે નવું મેડિકેશન્સ ટ્રેકિંગ ફીચર રજૂ કરાયું

amdavadlive_editor

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શહેરના ટોપ ૫૦૦ વિધાર્થીઓને સન્માનિત કરી વિશ્વ લોકશાહી દિવસ ઉજવ્યો

amdavadlive_editor

ટાટા મોટર્સે 250 ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા ડેલ્ટા ઇલેક્ટ્રોનિક્સ અને થન્ડરપ્લસ સોલ્યુશન્સ સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં

amdavadlive_editor

Leave a Comment