33.2 C
Gujarat
September 20, 2024
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી અમદાવાદના 8 ક્લબો એ ભેગા મળી ને લીડરશીપ ડેવેલપમેન્ટ પ્રોગ્રામ નું આયોજન કર્યું

રોટરી અમદાવાદ ક્લબના આ પ્રોગ્રામ માં મુખ્ય વક્તા તરીકે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના લાઈફ કોચ અને મોટીવેશનલ સ્પીકર પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીજી એ લીડરશિપ વિશે પોતાનું જ્ઞાન રોટરીયન સમક્ષ રજુ કર્યું હતું અને જીવનના અનુભવો શેર કર્યા હતા.

પોતાના વ્યક્તવ્યમાં તેમણે સફળ લીડરમાં મુખ્ય કયા ગુણો હોવા જોઈએ તેના વિષે સમજ આપી હતી. સફળ લીડરમાં આશા, હિંમત, પ્રામાણિકતા, સર્વસમાવેશકતા આ 4 ગુણો હોવા જ જોઈએ. લીડર પોતે સ્ટેબલ હોવો જોઈએ અને પોતાની જાત પર કોન્ફિડન્સ હોવો જોઈએ. વ્યક્તિએ કોઈ પણ કાર્ય કરતા પહેલા 100 વાર વિચાર કરી ને પછી જ કરવું જોઈએ પછી ભલે વ્યક્તિ સફળ થાય કે નિષ્ફળ થાય પરંતુ કરેલા કાર્ય પર પસ્તાવો ના થવો જોઈએ.

કોઈ પણ વ્યક્તિ પ્રયત્ન કરે તો બધું જ શક્ય છે. સાથે સાથે તેમણે નાગરિકો ને આગામી લોકસભાની ચૂંટણી માટે ફરજિયાત પણે મતદાન કરવા અપીલ કરી હતી અને આપણો લીડર કેવો હોવો જોઈએ એ વિશે પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે જેઓ મતદાન નથી કરી રહ્યા તેમને આગામી 5 વર્ષ સુધી સરકારના શાસન વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. આ પ્રામાણિકતા ભારતના દરેક નાગરિકોએ બતાવવી જોઈએ.

Related posts

રાજકોટના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના 7 વિદ્યાર્થીઓ NEET UG 2024 માં ટોપ સ્કોરર બન્યા

amdavadlive_editor

સેમસંગ ભારતમાં ગેલેક્સી વોચીસમાં ઈરેગ્યુલર હાર્ટ રિધમ નોટિફિકેશનની સુવિધા લાવી

amdavadlive_editor

સેમસંગ શાળાના વિદ્યાર્થીઓમાં કોયડા-ઉકેલ કૌશલ્ય વિકસાવવા માટે સૌપ્રથમ ડિઝાઇન થિંકીંગ વર્કશોપ ‘સોલ્વ ફોર ટુમોરો’ હાથ ધરે છે

amdavadlive_editor

Leave a Comment