May 3, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જેસલમેર બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૫મી ઓક્ટોબર ૨૦૨૫: ગત દિવસે રાજસ્થાનના જેસલમેર નજીક બસમાં આગ લાગી હતી અને તે ઘટનામાં મળતી માહિતી મુજબ ૨૦ લોકો જીવતા સળગી ગયા હતા. જેસલમેરથી જોધપુર જતી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર બસમાં ૫૦ જેટલા મુસાફરો પ્રવાસ કરતા હતા. આગ એટલી વિકરાળ બની હતી કે ૨૦ પ્રવાસીઓનાં સ્થળ પર કરુણ મોત નિપજ્યા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને દિલસોજી આપી છે. પૂજ્ય બાપુએ હનુમંત સંવેદના રુપે રુપિયા ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખની) તતકાલ સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે. આ વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા શ્રી વરુણ મોદી દવારા કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

ટાટા મોટર્સે લખનઉ અને રાયપુરમાં Re.Wi.Re – એડવાન્સ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીઝનું ઉદઘાટન કર્યું

amdavadlive_editor

હીરો મોટોકોર્પ દ્વારા નવી ડેસ્ટિની 125 સાથે અર્બન મોબિલિટીમાં પ્રગતિ સેગમેન્ટમાં અવ્વલ માઈલેજ અને ઉદ્યોગના પ્રથમ ફીચર્સ ઓફર કરે છે

amdavadlive_editor

SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડે નવા કૌશલ્ય કેન્દ્રો દ્વારા યુવાનોને સશક્ત બનાવવા માટે અંબુજા ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી

amdavadlive_editor

Leave a Comment